Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ

author img

By

Published : Dec 27, 2021, 1:10 PM IST

Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ ખેતરમાં ઉભા થઈ રહેલા વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ
Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ ખેતરમાં ઉભા થઈ રહેલા વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ ()

વંથલી તાલુકાના થાણા પીપળી ગામના ખેડૂતોએ વીજ કંપની દ્વારા ખેતીલાયક જમીનમાં મહાકાય વીજપોલ ઊભા કરવાને લઈને વિરોધ કર્યો છે. ગામના 12 જેટલા ખાતેદાર ખેડુતોની જમીન પર વીજ કંપની(Power pole on farmers land) દ્વારા મહાકાય વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. વીજપોલ ઊભા થવાના કારણે મોટા પ્રમાણમાં ખેતી લાયક જમીનને નુકસાન થઈ શકે છે જેને લઇને ખેડૂતોએ ઉગ્ર વિરોધ(Junagadh Farmer protest) દર્શાવ્યો છે.

જુનાગઢઃ વંથલી તાલુકાના થાણા પીપળી ગામના 12 જેટલા ખેડૂતો પાછલા કેટલાક દિવસથી વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવી રહેલા વીજ પોલના વિરોધમાં સામે આવ્યા છે. વીજ કંપની દ્વારા થાણા પીપળી ગામના 12 જેટલા ખેડૂતોને ખેતીલાયક અને ઉપજાઉ જમીન પર મહાકાય વીજ પોલ ઉભા કરવાનું કામ શરૂ કર્યું છે. જેનો વિરોધ(Junagadh Farmer protest) ગામના અસરગ્રસ્ત 12 જેટલા ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો મત છે બિન ઉપજાઉ અને સરકારી તેમજ ખરાબાની જમીન પર વીજ પોલ ઉભા કરવાની બાહેધરી વીજ કંપની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ અચાનક તેમાં ફેરફાર કરીને ખેતીલાયક જમીન પર આ મહાકાય વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો વિરોધ હવે ગામના 12 જેટલા ખાતેદાર અસરગ્રસ્ત ખેડૂતો(Junagadh Farmer protest Electricity Poll) કરી રહ્યા છે.

થાણા પીપળી ગામમાં ખેડૂતોનો ખેતરમાં વિરોધ

ખેતીલાયક જમીનને વીજપોલથી થઈ શકે છે મોટું નુકસાન

ખેતીલાયક અને ઉપજાઉ જમીન પર જે પ્રકારે વીજપોલ(Power pole on farmers land) ઊભા કરવામાં આવ્યા છે તેને લઈને ખેતીલાયક જમીનને મોટું નુકસાન થઈ શકે છે તેવો મત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, અહીંથી પસાર થતી 66 કિલો વોટની ભાટિયા લિંગ લાઈન પર 12 જેટલા મહાકાય વીજપોલને જેટકો કંપની(JETCO Company to Power Pole) દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. પહેલા આ જ લાઇન સરકારી અને ખરાબાની જમીન પર પસાર કરવાની બાંહેધરી જેટકો કંપની દ્વારા આપવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર અચાનક જ તેમાં ફેરફાર કરીને ખેતીલાયક જમીન પર આ વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

કામગીરી અટકાવવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી

આ કામગીરી સરકારી લાઇન અને ખરાબાની જમીન પર પસાર કરવાની બાંહેધરી જેટકો કંપની દ્વારા આપવામાં આવી હતી તે હવે ખેતીલાયક જમીન પર આ મહાકાય વીજપોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેનો ખેડૂતો વિરોધમાં કરી રહ્યા છે અને આગામી દિવસોમાં કામગીરી બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચિમકી(A Glimpse of the Peasant Movement) ઉચ્ચારી રહ્યાં છે.

આ પણ વાંચોઃ જુનાગઢના કેશોદના વેપારીએ ઈ-બાઇકની એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી

આ પણ વાંચોઃ Junagadh Ticket Vending Machine: જુનાગઢ, સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશન પર બુકિંગ મશીનમાં ડિપોઝિટને લઈ પ્રવાસીઓમાં રોષ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.