ETV Bharat / state

આનંદ સાગર સ્વામી સોમનાથ અને ભવનાથ આવીને માફી માંગે

author img

By

Published : Sep 8, 2022, 3:46 PM IST

અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયની કથામાં આનંદ સાગર સ્વામીએ મહાદેવ પર આપત્તિ જનક ટિપ્પણી કરી છે. જેને લઈને હવે ભવનાથ મંડળના સાધુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ઇન્દ્રભારતી મહારાજની આગેવાનીમાં સાધુ મંડળે ભવનાથ પોલીસ સ્ટેશનને અરજી આપીને આનંદ સાગર સ્વામી વિરુધ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. Demand action against Anand Sagar Swamy, Comments about Lord Shivji, Sokhada Haridham Controversy

આનંદ સાગર સ્વામી સોમનાથ અને ભવનાથ આવીને માફી માંગે તેવી માંગ
આનંદ સાગર સ્વામી સોમનાથ અને ભવનાથ આવીને માફી માંગે તેવી માંગ

જૂનાગઢ મહાદેવ પર આનંદ સાગર સ્વામીએ વિદેશમાં ચાલી રહેલી તેમની કથા વાર્તા દરમિયાન આપત્તિ જનક નિવેદન(Anand Sagar Swami Catastrophic Comment )આપ્યું છે. જેને લઈને હવે ભવનાથ મંડળના સાધુઓમાં રોષ જોવા મળી (Resentment among Bhavnath's monks)રહ્યો છે. આજે ઇન્દ્રભારતી મહારાજની આગેવાનીમાં સાધુ મંડળે ભવનાથ પોલીસ સ્ટેશનને અરજી આપીને આનંદ સાગર સ્વામી વિરુધ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

ભવનાથ પોલીસમાં કાર્યવાહીની માંગ

સ્વામી સામે કાર્યવાહી થાય તેવી માંગ અમેરિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયની કથા દરમિયાન હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ(Sokhada Haridham Controversy)મહાદેવ પર આપત્તિ જનક ટિપ્પણી કરી છે જેને લઇને સમગ્ર સનાતન હિંદુ ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે ભવનાથ મંડળના સાધુ સંતો દ્વારા પોલીસને અરજી આપીને મહાદેવ પર કથિત આપત્તિજનક ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામી સામે આકરી કાયદાકીય કાર્યવાહી થાય (Demand action against Anand Sagar Swamy)તેવી માંગ કરી છે. આજે ભવનાથ મંડળના મંડલેશ્વર ઇન્દ્રભારતી મહારાજની આગેવાનીમાં મહાદેવ ભારતી મહાદેવ ગીરી થાનાપતિ બુદ્ધગીરી બાપુ સહિત સંતોએ હાજર રહીને એક સૂરમાં આનંદ સાગર સ્વામી વિરુધ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

આનંદ સાગર સોમનાથ અને ભવનાથ મહાદેવની માંગે માફી સાધુ મંડળે આજે ભવનાથ પોલીસ મથકમાં( Bhavnath Police)અરજી આપ્યા બાદ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે મહાદેવ વિરુદ્ધ આપત્તિ જનક ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામી સોમનાથ અને ભવનાથ મહાદેવના ચરણમાં તેનું શીર્ષ ઝુકાવીને દંડવત માફી માંગે તેવી માંગ કરી છે. જો આમ કરવામાં આનંદ સાગર સ્વામી કોઈ વિલંબ કરશે તો ભવનાથના સાધુ સંતો કોઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ આજે ઉચારવામાં આવી છે, જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુ સંતો સનાતન હિંદુ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ અવારનવાર આપત્તિ જનક ટિપ્પણીઓ કરે છે તેને પણ આવનારા સમયમાં સાખી લેવામાં નહીં આવે તેવી ચિમકી પણ ભવનાથ મંડળના સાધુ સંતોએ ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.