ETV Bharat / state

જામનગરમાં ખાનગી શાળાનો ક્રેઝ ઘટ્યો, 1414 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં લીધું એડમિશન

author img

By

Published : Sep 11, 2020, 10:20 PM IST

જામનગર જિલ્લામાં ખાનગી શાળાનો ક્રેઝ ઘટી રહ્યો છે. 1,414 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ બાબતે ETV BHARATએ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન. દવે સાથે ખાસ વાતચીત કરી હતી.

સરકારી શાળા
સરકારી શાળા

જામનગર: એક બાજુ શિક્ષણ મોંઘુ થતું હોવાનું વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે, તો બીજી બાજુ સરકારી શાળાઓમાં ગુણવત્તા ન હોવાના કારણે બાળકોને વાલીઓ ભણવા માટે મુકતા નથી. ખાસ કરીને ખાનગી શાળામાં સારી ફેસીલીટી તેમજ સારો સ્ટાફ અને સારું શિક્ષણ હોવાની વાલીઓના માનસ પર છાપ જોવા મળી રહી છે. જો કે, જામનગર જિલ્લામાં ધોરણ 1થી ધોરણ 8ના 1,414 વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં અભ્યાસ માટે એડમિશન લીધું છે. જે એક સરકારી શાળા માટે સારી નિશાની કહી શકાય છે.

1414 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લીધું એડમિશન

આમ પણ વાલીઓ પોતાના બાળકોના સારા અભ્યાસ માટે લાખો રૂપિયાની ફી ખાનગી શાળાઓમાં ભરતા હોય છે, તેમ છતાં પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ આવે ત્યારે વાલીઓનું મનોબળ તુંટતું જોવા મળે છે. વિદ્યાર્થીની મહેનત પ્રમાણે તેમને ફળ ન મળતું હોવાની રાવો પણ ઉઠી રહી છે.

જામનગર જિલ્લામાં અનેક ખાનગી શાળાઓ આવેલી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં બાળકોએ સરકારી શાળામાં એડમિશન લીઘું એ સરકારી શાળામાં પણ ઉત્તમ અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હોવાનું જ્વલંત ઉદાહરણ છે. એક સમય હતો જ્યારે જામનગર જિલ્લાના વાલીઓમાં ખાનગી શાળા પ્રત્યે એક ક્રેઝ જોવા મળતો હતો. જો કે, હવે આ ક્રેઝ ઓસરતો જોવા મળી રહ્યો છે.

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન. દવેએ જણાવ્યું કે, સરકારી શાળામાં પણ બાળકોને સારામાં સારો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લઈ રહ્યા છે.

સરકારી શાળામાં સારા શિક્ષકો છે અને સારી ફેસીલીટી છે. તેમ જ ઓનલાઇનથી લઇને કોમ્પ્યુટર સુધીનું સરકારી શાળામાં શિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે વાલીઓનું માનસિકતા બદલાઈ છે. ખાનગી શાળા તરફ જે વાલીઓનો ઝુકાવ હતો, તે હવે સરકારી સ્કૂલો તરફ જોવા મળી રહ્યો છે. જે એક શિક્ષણ જગત માટે સારી નિશાની કહી શકાય.

અન્ય જિલ્લામાં ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા અહેવાલ

પોરબંદરમાં ખાનગી શાળાને બાય બાય, 25 વિદ્યાર્થીએ સરકારી સીમ શાળામાં લીધુ એડમિશન

મોટાભાગના વાલીઓ પોતાના સંતાનોને સારુ શિક્ષણ અપાવવા ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હોય છે. ત્યારે પોરબંદરમાં 25 વિદ્યાર્થીઓના વાલીઓએ તેમને ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.

મોરબી જિલ્લામાં બાળકોની ફરી સરકારી શાળા તરફ કુચ

મોરબી : સરકારી શાળામાં પુરતો સ્ટાફ ન હોય અને યોગ્ય શિક્ષણ ન આપવામાં આવતું હોવાથી વાલીઓ ચિંતિત થઈને તેના બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે બેસાડતા હતાં, ત્યારે મોરબી જિલ્લામાં 596 સરકારી પ્રાથમિક શાળા આવી છે. હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના આચાર્યો અને શિક્ષકોના સહયોગથી વાલીઓનો સરકારી શાળામાં વિશ્વાસ વધ્યો છે અને તેના બાળકોને સરકારીમાં બેસાડવા લાગ્યા છે.

ગોંડલના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

ગોંડલના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી હતી. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં 35 બાળકોએ પ્રવેશ લીધો હતો. 100 વર્ષ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના 11 શિક્ષકો ધન્યવાદને પાત્ર છે.

અહીં ખાનગી શાળાના વિદ્યાર્થીની સરકારી શાળામાં પ્રવેશ માટે દોટ, જુઓ વીડિયો

ભાવનગર મનપાની 55 શાળાઓ પૈકી 36 શાળામાં 56 જ્ઞાનકુંજ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી શાળામાં ન હોઈ તેવા વર્ગખંડથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આકર્ષાયા છે, ત્યારે હવે ખાનગી શાળા ગુપ્ત રીતે સરકારી શાળામાં સંખ્યા માટે મદદ લેવા પહોંચી રહી છે. ખાનગી શાળાને પછાડતા સરકારી શાળાના શિક્ષકો ખુશ છે, તો શિક્ષણ સમિતિ પણ ગુજરાતમાં ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચવા થનગની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.