વડાપ્રધાન નરેન્દ્ર્ મોદી દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવતા વાળી સસ્તી દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતિય જન ઓષધી કેંન્દ્ર સમગ્ર દેશમાં શરુ કરવામાં આવે છે.આ જેમાં ડાયબીટીસ, બી.પી. , કેન્સર જેવી બીમારીઓની દવાઓ મળી રહે છે.
મેહુલનગરમા BSNL કચેરી સામે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ( PMJAY ) હેઠળ ચાલતા ભારતીય જન ઔષધિ કેન્દ્રનો સાંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે રવિવારે શુભારંભ થયો હતો. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે સસ્તી દવાનો લાભ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તેવો સાંસદ માડમે અનુરોધ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ખુબજ ઉપયોગી અને તંદુરસ્તી આપનારી પ્રધાન મંત્રી જન ઔષધી યોજના માટે આભાર વ્યકત કર્યો હતો.જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ.
આ ઉપરાંત સરકારની જહેમતની ચર્ચાઓ કરી જરૂરીયાત મંદને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો.આ કેંન્દ્ર પરથી પ્રજાજનો ને તમામ જાતની દવાઓ અને સર્જિકલ વસ્તુઓ રાહત ભાવે મળી રહેશે. આ મેડિકલ સ્ટોર પરથી આ વિસ્તારમા આવેલ આવાસ, મેહુલનગર, સત્યમ કોલોનીમાં રહેતા નગરજનો અને સમર્પણ હોસ્પિટલના દર્દીઓને લાભ મળી રહેશે તેવો આભાર વ્યક્ત કર્યો હતો.