ETV Bharat / state

Fuldol festival in Dwarka: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માનવ મહેરામણ ઉમટ્યું

author img

By

Published : Mar 12, 2022, 4:23 PM IST

Fuldol festival in Dwarka: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માનવ મહેરામણ ઉમટ્યું
Fuldol festival in Dwarka: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ મનાવવા માનવ મહેરામણ ઉમટ્યું

જામનગર દ્વારકા હાઈવે( Jamnagar Dwarka Highway )પર જય દ્વારકાધીશનો નાદ ચોતરફ ગુંજી ઉઠ્યો છે. દુર દુરથી ભાવિકો પગપાળા યાત્રાધામ દ્વારકામાં ભગવાન સંગ ફૂલડોલ ઉત્સવ ઉજવવા (Lord Fuldol festival in Dwarka )પગપાળા પહોચી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓને રહેવા-જમવા તેમજ સ્નાન કરવાની વ્યવસ્થા માટેના કેમ્પ યોજવામાં આવ્યા છે. આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ શ્રદ્ધાળુઓને આપવામાં આવી રહી છે.

જામનગર: જામનગર દ્વારકા હાઈવે પર (Jamnagar Dwarka Highway)હાલ ભજન,ભોજન અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જામનગર દ્વારકા હાઈવે પર જય દ્વારકાધીશનો નાદ ચોતરફ ગુંજી ઉઠ્યો છે. દુર દુરથી ભાવિકો પગપાળા યાત્રાધામ દ્વારકામાં ભગવાન સંગ ફૂલડોલ ઉત્સવ (Lord Fuldol festival in Dwarka )ઉજવવા પગપાળા પહોચી રહ્યા છે. ત્યારે પગપાળા ભાવિકોની સેવા માટે કેટલાય સેવા કેમ્પો( Camp for devotees )રસ્તામાં ઠેર-ઠેર લાગ્યા છે. કેવો આ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

દ્વારકામાં ભગવાન સંગ ફૂલડોલ ઉત્સવ

શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ

જામનગરમાં સમર્પણ સર્કલ પાસે વિજયભાઈ આહીર પોતાના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 12 વર્ષથી સેવા કેમ્પ કરી રહયા છે. હાલ દ્વારકા જામનગર હાઈવે પર જ્યાં જુઓ ત્યાં તમને ભગવાન કાળીયા ઠાકરના દર્શન કરવા(Dwarkadhish Temple in Dwarka)માટે જતા પગપાળા શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓને રહેવા-જમવા તેમજ સ્નાન કરવાની વ્યવસ્થા માટેના અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજવામાં આવ્યા છે. આ કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ શ્રદ્ધાળુઓને આપવામાં આવી રહી છે.

પગપાળા જતા શ્રદ્ધાળુઓ

ખાસ કરીને 500 કિમી દૂરથી આવેલા ગાંધીનગરના શ્રદ્ધાળું જણાવી રહ્યા છે કે તેઓ છેલ્લા દસ વર્ષથી પગ પાડા કાળીયા ઠાકરના દર્શન કરવા આવે છે. દર વર્ષે તેઓ વિજયભાઈના સેવા કેમ્પમાં રોકાય છે. આ વર્ષે પણ તેઓ અહીં રોકાયા છે અને ખૂબ જ સારી સેવા આપવામાં આવી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે દિવસ અને રાત પગપાળા જતા શ્રદ્ધાળુઓ ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે.

આ પણ વાંચોઃઅંબાજી મંદિરમાં ઓનલાઇન દર્શનનું આયોજન, 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

આ વર્ષે ફૂલડોલ ઉત્સવ માટે દ્વારકાધીશ મંદિર ખુલ્લું

કારણ કે જામનગર-દ્વારકા હાઇવે પર મહાકાય રિફાઇનરી આવેલું છે. જેના કારણે અહીંથી ભારે વાહનોની અવરજવર થતી હોય છે છતાં પણ શ્રદ્ધાળુઓ ડિસિપ્લીનમાં જતા જોવા મળી રહ્યા છે ત્યારે એ શ્રદ્ધાળુઓ કોઈપણ અકસ્માતનો ભોગ ન બને તે માટે જામનગર પોલીસ તેમજ દ્વારકા પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓના થયેલા તેમજ તેમના સન્માનમાં રેડિયમ લગાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે દ્વારકાધીશનું મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આ વર્ષે ફૂલડોલ ઉત્સવ માટે દ્વારકાધીશ મંદિર ખુલ્લું છે. જેના કારણે અહીં ગુજરાતના શ્રદ્ધાળુઓ તો આવી રહ્યા છે અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ પગપાળા દર્શને આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ પ્રયાગરાજના માઘ મેળામાં આવનારા શ્રદ્ધાળુ શા માટે હાથમાં ડંડો લઇને ચાલે છે, જાણો ખાસ કારણ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.