મળતી માહીતી અનુસાર જામનગરના મોટી ખાવડી ગામે ગૌશાળામાં રહેલા ઘાસના જથ્થમાં અચાનક આગ લાગી હતી, જેથી ગૌશાળામાં રહેલી ઘાસ બળીને ખાખ થયું હતું. જો કે ફાઇર વિભાગને જાણકારી આપતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફાયર-ફાઇટરને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. જો કે ત્યાં સુધીમાં મોટાભાગનો ઘાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આમ જામનગરમાં છેલ્લા બે દિવસથી આગના બનાવો વધી રહ્યા છે. આ ઘટનામાં અંદાજે પાંચ લાખનું નુકસાન થયું હોવાની આશંકા છે તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.