ETV Bharat / state

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે

author img

By

Published : Nov 14, 2019, 4:57 PM IST

જામનગરઃ રાજ્યમાં RTO દ્વારા હેલ્મેટ અને PUCના નવા કાયદાની અમલવારી શરૂ થઈ છે. હેલ્મેટ પહેરવાથી ગમખ્વાર અકસ્માતમાં પણ આબાદ બચાવ થઈ શકે છે, ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં, હાપા માર્કેટિંગ યાર્ડના સભ્યો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ આપવામાં આવશે.

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે

હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ અને વાઇસ ચેરમેન ધીરુભાઈ કાર્ય દ્વારા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતોને હેલ્મેટ આપવામાં આવશે. જેથી કોઈ ખેડૂત અકસ્માતનો ભોગ ન બને. હાલ જામનગર આપા માર્કેટિંગ યાર્ડમાં દિલ્હીથી 3000 જેટલા હેલ્મેટ મંગાવવામાં આવ્યા છે. હાલમાં તમામ ખેડૂતો તેમજ હાપા માર્કેટિંગ યાર્ડના સભ્યો સહિતના લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે.

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ અપાશે
Intro:Gj_jmr_03_helment_yard_wt_7202728_mansukh

જામનગર:હાપા માર્કેટિંગ યાર્ડ દ્રારા ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેન્ટ આપવામાં આવશે

બાઇટ:ધીરુભાઈ કારિયા,વાઇસ ચેરમેન માર્કેટયાર્ડ


રાજ્યમાં આરટીઓ દ્વારા હેલ્મેટ અને પીયુસીના નવા કાયદાની અમલવારી શરૂ થઈ છે ત્યારે ફરજિયાત લોકો હેલમેટ તેમજ પીયુસી લઇ ઘરની બહાર નીકળે છે.....

હેલ્મેટ પહેરવાથી ગમખ્વાર અકસ્માતમાં પણ આબાદ બચાવ થઈ શકે છે... ક્યારે આપવા માર્કેટિંગ યાર્ડ દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે અહીં આપા માર્કેટિંગ યાર્ડ ના સભ્યો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે હેલ્મેટ આપવામાં આવશે.....

આપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ અને વાઇસ ચેરમેન ધીરુભાઈ કાર્ય દ્વારા અમદા પ્રયાસ કરવામાં આવ્યો છે..... ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ખેડૂતોને હેલ્મેટ આપવામાં આવશે જેથી કોઈ અકસ્માતનો ભોગ ખેડૂત બને નહીં.....

હાલ જામનગર આપા માર્કેટિંગ યાર્ડમાં દિલ્હી થી ૩૦૦૦ જેટલા હેલ્મેટ મંગાવવામાં આવ્યા છે અને હાલમાં તમામ વિનામૂલ્ય ખેડૂતો તેમજ આપા માર્કેટિંગ યાર્ડ ના સભ્યો સહિતના લોકોને આપવામાં આવશે
Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.