ETV Bharat / state

Cyclone Tej: વાવાઝોડું ક્યાં પહોંચ્યું? જામનગરના દરિયા કિનારે બે નંબરનું લગાવવામાં આવ્યું સિગ્નલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 4:20 PM IST

Updated : Oct 21, 2023, 4:41 PM IST

જામનગર સહિત રાજ્ય પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. સંભવિત વાવાઝોડું ઓમાન પાસે દરિયામાં સ્થિર હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. જેનો ખતરો જામનગર સહિત ગુજરાત પર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવરાત્રીમાં તેજ વાવાઝોડું ખેલૈયાઓની મજા બગાડે તેવી પણ શક્યતા છે.

Cyclone Tej: જામનગરમાં તેજ વાવાઝોડું કરશે તાંડવ, બે નંબરનું લગાવવામાં આવ્યું સિગ્નલ
Cyclone Tej: જામનગરમાં તેજ વાવાઝોડું કરશે તાંડવ, બે નંબરનું લગાવવામાં આવ્યું સિગ્નલ

જામનગરમાં તેજ વાવાઝોડું કરશે તાંડવ, બે નંબરનું લગાવવામાં આવ્યું સિગ્નલ

જામનગર: અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે તારીખ 24 ઓક્ટોબર સુધી દરિયામાં 'તેજ' નામના વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. અરબ સાગરમાં વાતાવરણ બદલાવથી સર્જાયેલા 'તેજ' વાવાઝોડા માટે ભારતીય હવામાન વિભાગે સતર્ક રહેવાની આગાહી કરી છે. જામનગરના દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિતના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે. દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારોને પણ સાવધાન કરવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વાવાઝોડાનો કરંટ: જામનગરના બેડી બંદર ખાતે ગઈકાલે સંભવિત વાવાઝોડાના પગલે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું . તો આજરોજ બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડામાં ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતા છે. જો કે ખેડૂતોએ પોતાની જડસી યોગ્ય જગ્યાએ રાખવા માટે વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે નુકશાન ઓછું થાય. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. જોકે જામનગર ના દરિયામાં પણ વાવાઝોડાનો કરંટ જોવા મળી રહ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાયું: હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને અરબ સાગરના દક્ષિણ-પશ્ચિમ દરિયામાં દૂર સુધી ખેડાણ ન કરવા અંગે ચેતવણી આપી છે. હવામાન વિભાગે 'તેજ' વાવાઝોડા સાથે બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવા અંગે આગાહી કરી છે. 'તેજ' વાવઝોડાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે. નવરાત્રીનો તહેવારમાં વાવાઝોડાથી કોઈ અડચણ સર્જાશે નહીં તેવો હાલ વર્તારો છે. હવામાન વિભાગ પ્રમાણે હાલનું લો-પ્રેશર તારીખ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે. હવામાન વિભાગે ઓક્ટોબર મહિનામાં આવા પ્રકારના વાવાઝોડાની આગાહી કરી હતી.

  1. Weather forecast: ભારતના હવામાનની આગાહી હવે ઘણા રાજ્યોમાં ચોમાસુ વરસાદ પડશે
  2. Panchmahal News: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગોધરાના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી
  3. Gujarat Weather Update: અરબી સમુદ્રમાં વાવાઝોડું 'તેજ' સક્રિય થયું, ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ
Last Updated : Oct 21, 2023, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.