ETV Bharat / state

corona death compensation in jamnagar : જામનગરમાં કોરોનાના મૃતક સહાયને લઈને કોંગ્રેસે કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન

author img

By

Published : Nov 30, 2021, 1:50 PM IST

રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારજનો માટે સહાય(corona death in gujarat) ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારજનોને સહાયને(corona death compensation in jamnagar) લઈને અફરાતફરી જોવા મળી છે. જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામનારના 700 જેટલા ફોર્મ ભરાયા હતા પરંતુ માત્ર 205 લોકોને સહાય મળતા કોંગ્રેસે જિલ્લા કલેક્ટર(Jamnagar District Collector) ખાતે સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો.

corona death compensation in jamnagar : જામનગરમાં કોરોનાના મૃતક સહાયને લઈને કોંગ્રેસે કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન
corona death compensation in jamnagar : જામનગરમાં કોરોનાના મૃતક સહાયને લઈને કોંગ્રેસે કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન

  • જામનગર શહેરમાં મનુષ્ય અને ઢોરનું મૂલ્ય સરખું
  • જામનગરમાં કોરોનાથી મૃત્યુ પામેલા સહાય ફોર્મ 700 જમા થયા છે
  • રાજ્ય સરકારે માત્ર 205 લોકોને જ સહાય ચુકવી છે
  • કોંગ્રેસે આકરા પાણી સાથે જિલ્લા કલેકટર કચેરી ધામા નાખ્યા

જામનગરઃ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોરોનાથી મૃત્યુ(corona death in gujarat) પામેલા પરિવારજનો માટે સહાય ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં કોરોનાથી મૃત્યુ(corona death in jamnagar) પામનાર પરિવારજનોને સહાયને લઈને અફરાતફરી જોવા મળી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરીએ 700 ફોર્મ જમાં કરાવ્યા છે. પરંતુ રાજ્ય સરકારે જામનગર શહેરમાં માત્ર 205 લોકોને જ સહાય(corona death compensation in jamnagar) ચૂકવી છે. જેને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.

corona death compensation in jamnagar : જામનગરમાં કોરોનાના મૃતક સહાયને લઈને કોંગ્રેસે કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન

દરેક પરિવારને ચાર લાખ ચૂકવવા કરી માંગ

જામનગર શહેરમાં કોરોના સહાયના 700 ફોર્મ ભરવામાં આવ્યા છે ને માત્ર 205 લોકોને સહાય મળી છે. જેને લઇ કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક બાજુ જામનગર શહેરમાં અતિવૃષ્ટિમાં(heavy rains in gujarat) અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. તો જે લોકોના કોરોનામાં મોત નિપજ્યા છે તેના પરિવારજનોને હજુ સુધી સહાય આપવામાં આવી નથી.

માગ સ્વીકારવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી

કોંગ્રેસ શહેર પ્રમુખની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરી(Jamnagar District Collector) ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા અને સૂત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જે લોકોને હજુ સુધી સહાય મળી નથી તેના પરિવારજનો પણ કલેકટર કચેરીએ(congress protest gujarat) ઉમટ્યા હતા.

ઢોરને 50 હજાર અને કોરોનામાં મોતને ભેટેલા મનુષ્યને પણ 50 હજાર

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર મનુષ્ય અને ઢોરનું મૂલ્ય સરખું ગણે છે. ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રમાણે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને સરકારે ચાર લાખ સહાય આપવી જોઈએ. પરંતુ સરકાર આખ આડા કાન કરીને ગરીબો સાથે રાજ્ય સરકાર મસ્તી કરી રહી છે.

આ પણ વાંચોઃ Corona in bhavnagar : ચોપડે કોરોનાથી મૃત્યુ ફક્ત 160-સહાય માટે આવ્યા 600 ફોર્મ, શું ખુલી રહી છે સરકારની પોલ?

આ પણ વાંચોઃ Death of Corona in Gujarat : કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ફોર્મ અપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.