ETV Bharat / state

વેરાવળમાં 40થી વધુ તામિલનાડુની બોટ ફસાઈ, રાશન-પાણી-ડીઝલ વગર 600 જીવન હેરાન...

author img

By

Published : Nov 6, 2019, 4:44 PM IST

Updated : Nov 6, 2019, 4:52 PM IST

tamil-fisherman-etv-exclusive

ગીરસોમનાથઃ ઇટીવી ભારત દેશની 13 ભાષાઓમાં સમાચાર આપવાની સાથે દેશના દરેક ખૂણે પહોંચ ધરાવતું માધ્યમ છે. ત્યારે etv ભારતે તામિલનાડુથી નીકળેલા અને ગુજરાતમાં ફસાયેલા 600 જેટલા માછીમારોની સમસ્યાને કેન્દ્ર સરકાર અને તામિલનાડુ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ફરી એકવાર સાબિત કર્યું કે ઇટીવી માત્ર સમાચાર સંસ્થા નહી પણ સામાજિક સમાચાર સંસ્થા છે.

ક્યાર વાવાઝોડાના કારણે એકતરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ માછીમારી કરી રહેલા માછીમારોને નજીકના બંદરોમાં આશ્રય લેવા સૂચન કર્યું છે, ત્યારે તામિલનાડુની 40થી વધુ બોટ ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ માછીમારી બંદર પર આવી હતી. 2 દિવસ બાદ જ્યારે તેઓ પાછા તામિલનાડુ જવા માંગતા હતા, ત્યારે તેઓને ખબર પડી કે મહા નામનું મહાકાય વાવાઝોડું પાછળ જ આવી રહ્યું છે. જેના કારણે તેઓ 13 દિવસથી અહીં ફસાયા છે.

ETV EXCLUSIVE:ગીરસોમનાથમાં 40થી વધુ તામિલનાડુની બોટ ફસાઈ, રાશન પાણી અને ડીઝલ વગર 600 જિંદગી હેરાન...

ફસાયેલા માછીમારોનો ગંભીર આરોપ છે કે કેન્દ્ર સરકાર કે તમિલનાડુ સરકાર દ્વારા એક વાર પણ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કરાયો. તેમજ તેમનું રાશન અને પાણી ખૂટી ગયા છે. ઉપરાંત ડિલ્બ પણ ખૂટવા આવ્યું છે. તેઓ ભૂખ થી ટળવળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને વહેલીતકે તામિલનાડુ જવા મદદ કરવામાં આવે તેવી ઇટીવી ભારતના માધ્યમથી કેન્દ્ર સરકાર અને તામિલનાડુ રાજ્ય સરકારને મદદ માટે વિનંતી કરી છે.

Intro:ઇટીવી ભારત દેશ ની 13 ભાષાઓ માં સમાચાર આપવાની સાથે દેશ ના દરેક ખૂણે પહોંચ ધરાવતું માધ્યમ છે. ત્યારે etv ભારતે તામિલનાડુ થી નીકળેલા અને ગુજરાત માં ફસાયેલા 600 જેટલા માછીમારો ની સમસ્યા ને કેન્ડરસરકાર અને તામિલનાડુ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અને ફરી એકવાર સાબિત કર્યું કે ઇટીવી માત્ર સમાચાર સંસ્થા નહી પણ સામાજિક સમાચાર સંસ્થા છે.

ક્યાર વાવાઝોડા વખતે જ્યારે કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારો એ માછીમારી કરી રહેલા માછીમારો ને નજીક ના બંદરોમાં આશ્રય લેવા સૂચન કર્યું હતું ત્યારે તામિલનાડુ ની 40 થી વધુ બોટ ગુજરાત ના ગીરસોમનાથ જિલ્લા ના વેરવાળ માછીમારી બંદર પર આવી હતી. 2 દિવસ બાદ જ્યારે તેઓ પાછા તામિલનાડુ જવા માંગતા હતા ત્યારે તેઓને ખબર પડી કે મહા નામનું મહાકાય વાવાઝોડું પાછળ જ આવી રહ્યું છે. જેના કારણે તેઓ 13 દિવસ થી અહીં ફસાયા છે.Body:ત્યારે અહીં ફસાયેલા માછીમારો નો આરોપ છે કે કેન્દ્રસરકાર કે તમિલનાડુ સરકાર દ્વારા એક વાર પણ એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો તેમજ તેમનું રાશન અને પાણી ખૂટી ગયા છે અને ડિલ્બ પણ ખૂટવા આવ્યું છે. તેઓ ભૂખ થી ટળવળી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને વહેલીતકે તામિલનાડુ જવા મદદ કરવામાં આવે તેવી ઇટીવી ભારત ના માધ્યમથી તેઓએ કેન્દ્રસરકાર અને તામિલનાડુ રાજ્યસરકાર ને મદદ માટે વિનંતી કરી છે.

તામિલનાડુ સુધી તેઓનો અવાજ પહોંચાડવા માટે તેઓ ને ઇટીવી નું માધ્યમ પૂરું પાડવા માટે તેઓએ ઇટીવી નો આભાર માન્યો હતો.Conclusion:સ્ટોરી એક્સક્લુઝીવ છે. તમિલ ભાષામાં બાઈટ લીધી છે જે તેમને આપવા વિનંતી તેમજ વન ટુ વન હિન્દિ કર્યું છે.

lets rock..
Last Updated :Nov 6, 2019, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.