ETV Bharat / state

ગીરગઢડામાં ST બસના રૂટો શરૂ ન થતા પંથકવાસીઓ પરેશાન

author img

By

Published : Apr 2, 2021, 5:24 PM IST

રાજય સરકારે ગીરગઢડામાં અધતન ST બસ સ્‍ટેશન બનાવવામાં આવ્યું છે. જોકે, લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની ST બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સે જરૂરીયાત મુજબ બસના રૂટ શરૂ કરવા રાજય સરકાર અને STના ઉચ્‍ચ અધિકારીઓને રજૂઆત કરી છે.

ગીરગઢડા બસ સ્ટેશન
ગીરગઢડા બસ સ્ટેશન

  • ગીરગઢડામાં ST બસોની પૂરતી સુવિધા ન હોવાથી સ્થાનિકો પરેશાન
  • જરૂરિયાત મુજબના બસના રૂટ શરૂ કરવા કરવામાં આવી માગ
  • ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત

ગીર સોમનાથઃ રાજય સરકારે ગીરગઢડામાં અધતન ST બસ સ્‍ટેશન બનાવવામાં આવ્યું છે. જોકે, લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની ST બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ STના ઉચ્‍ચ અઘિકારીઓને અને રાજય સરકારને 12 મુદા સાથે લેખીત રજૂઆત કરી નવા બસ રૂટો શરૂ કરવા માંગણી કરી છે.

ગીરગઢડા બસ સ્ટેશન
ગીરગઢડા બસ સ્ટેશન

ગ્રામ્‍ય વિસ્‍તારોને જોડતી બસ સુવિધાની ઘટ

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશ ગાંઘી, ઉપપ્રમુખ અનિલ વિઠલાણી, ભાવેશ હિરપરાએ કરેલી લેખીત રજૂઆતમાં જણાવાયું છે કે, 6 વર્ષ પૂર્વે ગીરગઢડા તાલુકો અસ્‍તિત્‍વમાં આવતા રાજય સરકારે ત્‍વરીત ગીરગઢડામાં અધતન સુવિધા સાથે બસ સ્‍ટેશન પણ બનાવ્યું હતુ. પરંતુ તેને ઘણો સમય થઈ ગયો હોવા છતા ગીરગઢડા તાલુકાને ST બસોની પુરતી સુવિધા મળી શકી નથી. ગીરગઢડા ગામ અને તાલુકો મોટો હોવાની સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં પથરાયેલો હોવાથી લાંબા અંતરની તથા ગ્રામ્‍ય વિસ્‍તારોને જોડતી બસ સુવિધા હજુ ખુટે છે. જેથી પંથકના લોકોને બહારગામ, તાલુકા કે જિલ્‍લા મથકે આવન-જાવન કરવા માટે અનેક મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ઘ્‍યાને લઈ ST રૂટો ગીરગઢડાથી શરૂ કરવા માંગણી કરી છે.

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત
ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત

આ પણ વાંચોઃ રાજકોટ ST ડિવિઝન દ્વારા 28 રૂટ પર રાત્રી મુકામની બસ સેવા શરૂ કરાઈ

આ તમામ રૂટ પર બસ શરૂ કરવા માગ

જેમાં ગીરગઢડાથી વડોદરા, સુરત અને અંકલેશ્વર જવાની એકપણ બસ ન હોય તે શરૂ કરવાની માગ કરાઈ છે, તેમજ ગીરગઢડા થી વાયા અમરેલી થઈ વડોદરા બસ જે ઉનાથી સાંજે 6 વાગ્‍યે ઉપડે છે તેને ગીરગઢડા રૂટથી ચલાવો, ઉના-રાજકોટ સવારે ઉપડતી બસને રીટર્નમાં વાયા વેરાવળના બદલે તાલાલા-ગીરગઢડાના રૂટ પરથી ચલાવો તો જુનાગઢ-તાલાલા રૂટના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને સાંજે સુવિઘા મળે, ઉના-અમરેલી-કૃષ્‍ણનગર બસને ઉનાના બદલે ગીરગઢડાથી ચલાવવી, ઉના-ભાવનગર-વડોદરા બસને ગીરગઢડાથી ઉપાડવાની માગ કરવામાં આવી છે.

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત
ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત

જે રૂટોને બંધ કરાયા છે તેેને પણ ફરૂ શરૂ કરવાની માંગણી

ગીરગઢડાથી તાલાલા, કેશોદ વચ્ચે અગાઉ રાત્રીના 8:30 વાગ્‍યે બસ ચાલતી હતી તે બંધ કરવામાં આવી છે તેને ફરી શરૂ કરવી, ગીરગઢડા-ગાંધીનગર બસ રીટર્નમાં ગઢડા આવવાના બદલે સીધી દિવ જતી હોય તેને ઉના-ગીરગઢડા રૂટ પર ચલાવો, ઉના-ગીરગઢડા-સાસણ-સતાધાર રૂટની બસ જંગલના રસ્‍તાના બહાના હેઠળ ઘણા સમયથી બંઘ હોય તે ચાલુ કરો, ગીરગઢડાથી જિલ્‍લામથક વેરાવળ જવા માટે હાલ એક પણ સીધી બસ ન હોય તે રૂટ પર સવાર-સાંજ બે અપડાઉન બસ શરૂ કરો, વેરાવળ-ભગુડા રૂટની બસ લાંબા સમયથી ખરાબ રસ્‍તાના કારણે બંઘ હોય તે ચાલુ કરો, વર્ષો પહેલા ગીરગઢડાથી વાયા ભાવનગર-અમદાવાદ બસ દોડતી તે બસ હાલ ઉનાથી ઉપડતી હોય જેને ગીરગઢડાથી ઉપાડો, ઉના-ગીરગઢડા, ખીલાવડ, ધોકડવા, તુલસીશ્‍યામ રૂટ પર ST બસ શરૂ કરવા માંગણી કરવામાં આવી છે.

ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત
ગીરગઢડા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારોએ કરી રજૂઆત

આ પણ વાંચોઃ જૂનાગઢ ST વિભાગે શરુ કરી ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા

બસ સુવિધા શરૂ થશે તો લોકોને થશે રાહત

ઉપરોકત જણાવ્‍યાં મુજબના રૂટો પર ST બસો શરૂ થશે તો ગીરગઢડા શહેર અને તાલુકાની પ્રજાને રાહત થવાની સાથે ખાનગી વાહનોમાં જોખમી પ્રવાસ કરવામાંથી છુટકારો મળશે. આ સાથે વેપારીઓને કામકાજ અર્થે બહારગામ જવામાં સાનુકુળતા રહેશે. જેથી માંગણી મુજબની એસટી સેવા વહેલી તકે ગીરગઢડાને મળતી થાય તેવી માગ કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.