ETV Bharat / state

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી

author img

By

Published : Jun 13, 2023, 9:16 PM IST

સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી સામે આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના દર્શન માટે આવતા ભાવિ ભક્તોને પત્ર લખીને વિનંતી કરી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોને મંદિરે દર્શન કરવા માટે ન આવવાની વિનંતી કરવામાં આવી છે.

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી
Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટની વિનંતી

સોમનાથ : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તોને ભાવના પૂર્ણ વિનંતી કરવામાં આવી છે. સતત વધી રહેલા વાવાઝોડાના ખતરાને પગલે સમગ્ર દેશમાંથી આવતા શિવ ભક્તોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેના કરતાં સ્વયમ શિવભક્તોએ પોતાની ઈચ્છા અનુસાર વાવાઝોડાના દિવસો દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ન આવે તેવી વિનંતી કરવામાં આવી છે. આ પ્રકારની ભાવનાત્મક વિનંતી સોશિયલ મીડિયા અને સોમનાથ ટ્રસ્ટના વિવિધ પ્લેટફોર્મ ઉપર જનરલ મેનેજરના નામથી કરવામાં આવી છે.

સોમનાથમાં દર્શન સિવાયની તમામ સુવિધાઓ બંધ : સોમનાથ મંદિર પરિસર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને પર્યટનના સ્થળોની મંદિરના દર્શન સિવાયની તમામ ગતિવિધિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મંદિરમાં યોજાતો લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ સમુદ્ર નજીક બનાવવામાં આવેલા વોક વે પર તમામ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો લગાડી દેવામાં આવ્યા છે ત્યારે આજે સોમનાથ ટ્રસ્ટે શિવ ભક્તોને ખુદ દર્શન કરવા નહીં આવવાની ભાવનાત્મક વિનંતી કરી છે.

ઘેરબેઠાં દર્શનનો લહાવો લઇ શકાશે : વાવાઝોડાના આ દિવસો દરમિયાન સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિ સાથે ચાર પ્રહરની પૂજાની સાથે આરતી અભિષેક અને અન્ય સનાતન ધર્મની પરંપરાઓ પૂર્ણ થાય તે રીતે મંદિરના પંડિતો અને પૂજારીઓ દ્વારા મહાદેવની પૂજા નિયમિત કરવામાં આવશે. જેનો લાભ શિવ ભક્તો ઘર બેઠા સોમનાથ ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પણ પ્રાપ્ત કરી શકશે. જે મહાદેવના સમક્ષ દર્શન કર્યા તુલ્ય માનવામાં આવે છે.

જનરલ મેનેજરે આપી માહિતી : સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા માધ્યમ માટે ઉભા કરવામાં આવેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવિકોને દર્શન કરવા માટે નહીં આવવાની વિનંતી કરતો પત્ર મોકલ્યો છે. જેમાં શિવભક્તોએ વાવાઝોડાના આ વિકટ અને વિપત્તિ ભર્યા સમયમાં દર્શન કરવા માટે નહીં આવવાની વિનંતી કરી છે. વાવાઝોડાનું સંકટ દૂર થયા બાદ ફરી એક વખત તમામ શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે તેમની ઈચ્છા અનુસાર સોમનાથ આવી શકે છે. પરંતુ આગામી બે ત્રણ દિવસ ખૂબ જ તકેદારી રાખવી પડે તેવો સમય આવ્યો છે ત્યારે શિવભક્તો ખુદ દર્શન કરવા ન આવે તેવી વિનંતી સોમનાથ ટ્રસ્ટે શિવ ભક્તોને કરી છે.

  1. Cyclone Biparjoy: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપરજોય ચક્રવાતનો ખતરો મંડરાયો, NDRFની એક ટીમ ગીર સોમનાથ પહોંચી
  2. Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા ગીર સોમનાથ વહીવટી તંત્રનો એક્શન પ્લાન
  3. Gujarat Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાના ખતરાને પગલે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘસારો મર્યાદિત થયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.