ETV Bharat / state

પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી ચીપકી રહેલા કર્મચારી સાથે 18 કર્મીઓની બદલી, ફટાકડાં ફોડાયા

author img

By

Published : Dec 13, 2019, 2:57 PM IST

Updated : Dec 13, 2019, 4:18 PM IST

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી આશરે 42 લાખના પુસ્તકોની ચોરી થયાં બાદ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક કાયમી કર્મચારી અને બે આઉટસોર્સ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. આ ઘટનાના બે દિવસ બાદ પાઠ્યપુસ્તક મંડળમાં છેલ્લાં 25 વર્ષથી જોડાયેલાં 18 કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. જેને લઈ અન્ય કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી જોડયેલાં 18 કર્માચારીઓની એકસાથે કરાઈ બદલી
પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી જોડયેલાં 18 કર્માચારીઓની એકસાથે કરાઈ બદલી

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ છે. પરંતુ આ નિયમનો ઉપયોગ કેટલાક ગણતરીના અધિકારીઓ સામે જ કરવામાં આવે છે. આમ, કર્મચારીઓમાં થતાં ભેદભાવથી તેઓમાં ભારે અસંતોષ જોવા મળતો હતો. ત્યારે પાઠ્યપુસ્તક મંડળમાં થયેલાં કૌભાંડ કારણે બદલીના પડઘા પડતાં કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી જોડયેલાં 18 કર્માચારીઓની એકસાથે કરાઈ બદલી
latest news of gandhinagar  latest news textbook board of gandhinagar
પાઠ્યપુસ્તક મંડળમાં 18 કર્મચારીઓની 25 વર્ષ બાદ અંતે બદલી કરાઈ

છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા આર.એચ નાયકને કોઈપણ કારણોસર બદલવામાં આવતા નહતા. પરંતુ આ કૌભાંડ બાદ એકાએક તેમની બદલી કરવામાં આવી છે. હવે તેઓ સેક્ટર 25 ગોડાઉન ખાતે ફરજ બજાવશે. આમ, 25 વર્ષ બાદ અચાનક બદલી થતાં અનેક તર્ક વિતર્કો ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે વર્ષોથી અન્યાયનો ભોગ બનેલા કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે.

તો બીજી તરફ, જાગીર શાખામાં ફરજ બજાવતા સિનીયર પાર્ક એન.પી.ભાટીને પણ સેક્ટર 25 ગોડાઉનમાં આવેલા સેલ્સ વિભાગમાંથી બદલી કરાઈ છે. તેમજ 8 કાયમી કર્મચારીઓની અને 10 આઉટસોર્સના કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 42 લાખના પુસ્તકોની ચોરીમાં ફરિયાદી બન્યા છે. તેવામાં વહીવટી અધિકારી સી.એસ ગામેતીને સેક્ટર 25 ગોડાઉનના ગોડાઉનના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકારમાં એક જગ્યાએ છેલ્લા 25 વર્ષથી ચીપકી રહેલા કર્મચારીઓને પુસ્તકની ચોરી બાદ બદલવામાં આવતા સમગ્ર ઓફિસમાં ખળભડાટ મચ્યો છે. ત્યારે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના મહામંત્રી ડૉ.કમલેશ પરમારે આ અંગે જણાવ્યું હતું કે,"અમારી વર્ષો જૂની માગનું નિરાકરણ આવ્યું છે. ત્યારે અમારું કર્મચારી મંડળ નિયામક, ડાયરેક્ટરનો આભાર વ્યક્ત કરે છે."

Intro:હેડલાઈન) etv એક્સક્લુઝિવ, પાઠ્યપુસ્તક મંડળમાં 25 વર્ષથી ચીપકી રહેલા રહેલા કર્મચારી સાથે 18 કર્મીઓની બદલી, ફટાકડાં ફોડાયા

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ના ગોડાઉનમાંથી આશરે 42 લાખના પુસ્તકોની ચોરી થયા બાદ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી એક કાયમી કર્મચારી અને બે આઉટસોર્સ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે . ત્યારે આ ઘટનાના બે દિવસ બાદ પાઠ્ય પુસ્તક મંડળમાં છેલ્લાં 25 વર્ષથી ચીપકી રહેલા એક કર્મચારી સાથે 18 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. કચેરીમાં વર્ષોથી રહેલા કર્મચારીઓની બદલી પુસ્તક ચોરી બાદ કરવામાં આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કર્મચારીઓ દ્વારા તેને ફટાકડા ફોડીને વધાવવામાં આવ્યો હતો.Body:સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ છે. પરંતુ આ નિયમ સરકારમાં કેટલાક જ જ અધિકારીઓ સામે ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં નીતિ અપનાવવામાં આવતી હોય છે. ત્યારે પાઠ્યપુસ્તક મંડળનું પુસ્તક કૌભાંડ સામે આવ્યા બાદ તેના પડઘા જોવા મળી રહ્યા છે. મંડળમાં છેલ્લાં 25 વર્ષથી ફરજ બજાવી રહેલા આર.એચ નાયકને નાયકને કોઈપણ કારણોસર બદલવામાં આવતા ન હતા. પરંતુ આ કૌભાંડ સામે આવ્યા બાદ એકાએક સામે આવ્યા બાદ એકાએક તેમની બદલી કરી દેવામાં આવી છે. આર.એચ નાયક મંડળની ઓફીસ માં આવેલી ક શાખામાં ફરજ બજાવતા હતા માં આવેલી ક શાખામાં ફરજ બજાવતા હતા શાખામાં ફરજ બજાવતા હતા. હવે તેમને સેક્ટર 25 ગોડાઉન ખાતે બદલી દેવામાં આવ્યા છેConclusion:બીજી તરફ જાગીર શાખામાં ફરજ બજાવતા સિનીયર પાર્ક એન.પી.ભાટીને પણ સેક્ટર 25 ગોડાઉનમાં આવેલા આવેલા ગોડાઉનમાં આવેલા આવેલા સેલ્સ વિભાગમાં બદલી કરાઇ કરી દેવાઈ છે છે કરી દેવાઈ છે છે. તો આ બદલીઓમાં બદલીઓમાં 8 કાયમી કર્મચારીઓને બદલવામાં આવ્યા છે. જ્યારે 10 આઉટસોર્સના કર્મચારીઓને પણ બદલી કરી દેવામાં આવી છે. નવાઈની બાબત એ છે કે કે 42 લાખના પુસ્તકોની ચોરીમાં ફરિયાદી બન્યા છે. તેવા વહીવટી અધિકારી સી.એસ ગામેતીને સેક્ટર 25 ગોડાઉનના ગોડાઉનના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપ સરકારમાં એક જગ્યાએ 25 વર્ષથી ચીપકી રહેલા રહેલા કર્મચારીને વર્ષથી ચીપકી રહેલા કર્મચારીને પુસ્તક ચોરી બાદ બદલવામાં આવતા સમગ્ર ઓફિસમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના મહામંત્રી ડૉ.કમલેશ પરમાર કહ્યું કે, અમારી વર્ષો જૂની માંગનું નિરાકરણ આવી છે. ત્યારે અમારું કર્મચારી મંડળ નિયામક, ડાયરેક્ટરનો આભાર વ્યક્ત કરે છે. પરંતુ કાયમી કર્મચારીઓ અને આઉટસોર્સના કર્મચારીઓને બદલી અલગથી થવી જોઈએ.

બાઈક

ડૉ. કમલેશ પરમાર

મહામંત્રી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
Last Updated : Dec 13, 2019, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.