ETV Bharat / state

Gandhinagar News : રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ઉર્જા અને પાણી પુરવઠા વિભાગે કરી મોટી જાહેરાત

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 9:40 PM IST

Gandhinagar News
Gandhinagar News

રાજ્યભરમાં છેલ્લા એક મહિનાથી વરસાદ વરસ્યો નથી. ત્યારે રાજ્ય સરકારે પણ વરસાદ પાછો ખેંચાયો હોવાનું સ્વીકાર્યું છે. ઉપરાંત ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યના 14 જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.

રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદનું નામોનિશાન નથી. ત્યારે હવે ગુજરાત સરકારે પણ રાજ્યમાં વરસાદ ખેંચાયો હોવાનું સ્વીકાર્યું છે. છેલ્લે જુલાઈ માસમાં સારો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદ નોંધાયો ન હોવાનું નિવેદન પણ રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ પણ માન્યું છે. આ સમય દરમિયાન ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા વીજળી અને સિંચાઈના પાણી બાબતે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સરકારના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ખેડૂતોના ઉભા પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂત સમયસર ઉભા પાકને નિયત પ્રમાણમાં પાણી આપી શકે તે માટે ગુજરાતના ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે 1 સપ્ટેમ્બર પહેલા જ 10 કલાક વીજળી આપવાની નિર્ણય લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કનુભાઈ દેસાઈએ કરી છે. જ્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતોને વીજળી વપરાશ ખૂબ ઓછો હોય છે. આ નિર્ણય રાજ્યના 14 જિલ્લાના 20.28 લાખ ખેતી જોડાણ ધરાવતા 12 લાખ ખેડૂતોને લાભ મળશે.

વીજળી માંગ વધી : ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં આ વર્ષે 70 થી 80 ટકા જ વરસાદ નોંધાયો હતો. જેના કારણે જુલાઈ માસમાં 9,170 મેગાવોટ વીજળીનો ઉપયોગ થયો હોવાની માહિતી કનુભાઈ દેસાઈએ કર્યો હતો. છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2018- 19 માં 4000 મેગાવોટ, 2021-22 માં 6300 મેગાવોટ અને 2022-23 માં 9170 મેગાવોટ વીજળીની માંગ વધી છે. જ્યારે ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન ન થાય તેને ધ્યાનમાં લઈને કચ્છ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, ખેડા, રાજકોટ, સાબરકાંઠા, અમરેલી અને જામનગર જિલ્લામાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂત સમયસર ઉભા પાકને નિયત પ્રમાણમાં પાણી આપી શકે તે માટે રાજ્યના 14 જિલ્લામાં આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી 20.28 લાખ ખેતી જોડાણ ધરાવતા 12 લાખ ખેડૂતોને લાભ મળશે. -- કનુભાઈ દેસાઈ (કેબિનેટ પ્રધાન, ઉર્જા વિભાગ)

પાણી પુરવઠા વિભાગનો નિર્ણય : રાજ્યના પાણી પુરવઠા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદ ખેંચવાના કારણે અનેક જિલ્લામાંથી પાણી છોડવા બાબતની સતત રજૂઆત થાય છે. ત્યારે તેવી રજૂઆતને ધ્યાનમાં લઈને નર્મદામાંથી પાણી છોડવામાં આવશે. જ્યારે ડાંગરનું વાવેતર થાય છે તેવા વિસ્તારમાં બેથી ચાર દિવસમાં નર્મદાનું પાણી પહોંચશે. આ ઉપરાંત રાજ્યના જે ડેમોમાં 80% જેટલું પાણી છે, તેવા ડેમમાંથી પણ માંગ પ્રમાણે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાણીની અછત દૂર થશે : સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત પણ પાણી છોડવામાં આવશે. જ્યારે હાલમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ચાર જગ્યાથી પાણીની માંગણી આવી છે. એટલે ત્યાં પાણી આપવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ રાજ્યમાં જે જગ્યાએથી પાણીની માંગ આવે તેવા તમામ વિસ્તારમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે.

  1. Gujarat Cabinet Decision : ડીગ્રી એડમિશન માટે ફક્ત એક જ પરીક્ષા, રાજ્ય સરકાર કરશે નવી ભરતીની જાહેરાત
  2. Gandhinagar Education News : હવે બાળકો પણ વિમાન ઉડાવવાનો અનુભવ કરી શકશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.