ETV Bharat / state

131 સેન્ટરો પર ટેકાના ભાવે થઇ રહી છે મગફળીની ખરીદી, સરકારે કર્યું 5.16 કરોડનું પેમેન્ટ

author img

By

Published : Nov 6, 2020, 4:15 PM IST

મગફળીની ખરીદી
મગફળીની ખરીદી

રાજ્યની તમામ APMCમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કુલ 4.70 લાખ ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં ફક્ત 14,817 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે, જેમાંથી ખેડૂતોને રાજ્ય સરકારે 5.16 કરોડનું પેમેન્ટ ચૂક્વ્યુ છે.

  • રાજ્યમાં મગફળીની ખરીદી યથાવત
  • સરકારે ખેડૂતોને રૂપિયા 5.16 કરોડનું પેમેન્ટ કર્યું
  • કુલ 839 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી
  • 14,817 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું

ગાંધીનગર : રાજ્યની તમામ APMCમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કુલ 4.70 લાખ ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અત્યાર સુધીમાં ફક્ત 14,817 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હોવાનું અન્ન અને નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું. જ્યારે રાજ્ય સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળીમાં 5.16 કરોડની ખેડૂતોને પેમેન્ટ ચૂક્વ્યુ છે.

131 સેન્ટરો પર ટેકાના ભાવે થઇ રહી છે મગફળીની ખરીદી

રાજયમાં 145 સેન્ટરોમાંથી ફક્ત 131 સેન્ટરોમાં જ ખરીદ વેચાણ શરૂ

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળી માટે 145 સેન્ટર્સ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજની વાત કરવામાં આવે તો 145માંથી ફક્ત 131 સેન્ટરમાં જ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે 14 સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે અન્ન નાગરિક પુરવઠાના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, એક APMCમાં બે કે ત્રણ સેન્ટર શરૂ કરવામાં આવતા હોય છે. જ્યારે ખેડૂતોને વધારે ધસારો થાય ત્યારે વધારાના સેન્ટર ખોલવામાં આવે છે. જ્યારે સંપૂર્ણ રીતે બંધ કર્યા નથી.

539 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાઈ, 14,817 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું

અન્ન અને નાગરિક પુરવઠાના મેનેજર સંજય મોદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 14,817 ખેડૂતોએ મગફળીનો વેચાણ ટેકાના ભાવે કર્યું છે. જ્યારે કુલ 539 ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે. જ્યારે રિજેક્ટ થવાનું કારણની વાત કરીએ તો મગફળીની અંદર 8 ટકાથી વધુ પ્રમાણમાં ભેજ હોય અથવા તો મગફળીની ક્વોલિટી બરાબર ન હોય તો સેમ્પલ રિજેક્ટ થઈ શકે છે.

અત્યાર સુધીમાં કુલ 2.57 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઈ

રાજ્યમાં ટેકાના ભાવે અત્યાર સુધીમાં કુલ 2.47 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી 9,777.44 ક્વિન્ટલ મગફળીની ચૂકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે. આમ કુલ 5 કરોડ રૂપિયાની ચૂકવણી રાજ્ય સરકારે ખેડૂતોને કરી છે.

એક લાખથી વધુ ખેડૂતોને SMS કરીને જાણ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, જેમ જેમ દિવસો નજીક આવતા જશે. તેમ તેમ મગફળીના વેચાણ માટે ખેડૂતોની વધારે ભીડ જોવા મળશે. જ્યારે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ખેડૂતોને SMS કરીને જાણ કરવામાં આવી છે, ત્યારે હજૂ આવનારા દિવસોમાં વધુમાં વધુ પ્રમાણમાં ખેડૂતોનો APMC ખાતે મગફળી વેચવા માટેનો ધસારો જોવા મળશે.

ખુલ્લા બજારમાં મગફળીના ઘટતા ભાવને પગલે ટેકાના ભાવે ખેડૂતો વેચાણ કરવા પહોંચ્યા

મહેસાણા જિલ્લામાં આવેલ વિજાપુર ખાતે ખેડૂતો માટે ચાલુ વર્ષે મગફળીના પાકમાં તેજી જોવા મળી રહી છે. જ્યાં શરૂઆતમાં ટેકાના ભાવ કરતા 100 થી 200 રૂપિયા વધારે ભાવ મળ્યો છે. તો હાલમાં ટેકાના ભાવ સમક્ષ મગફળીના ભાવ ખુલ્લા બજારમાં આવતા ખેડૂતો બન્ને જગ્યાએ વેપાર માટે આવી રહ્યા છે.

14 ઓક્ટોબર : રાજ્યમાં 4.25 લાખ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું, 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ : જયેશ રાદડિયા

ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકારે 1 ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં આજે 14 દિવસમાં કુલ 4.25 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે હજુ પણ છ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષ કરતાં આ આંકડો વધે તેવી પણ શક્યતાઓ રાજ્યના પુરવઠા કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાએ વ્યક્ત કરી હતી.

1 ઓક્ટોબર : ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ, 12 વાગ્યા સુધીમાં 1544 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગાંધીનગર: રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મંગળવારથી ખેડૂતો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 1500થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર રજિસ્ટ્રેશન માટે 122 જેટલા સેન્ટરો ઉભા કરશે જેથી કરીને ખેડૂતો સરળતાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.