ETV Bharat / state

31 ઓક્ટોબરના દિવસે PM મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ

author img

By

Published : Oct 7, 2021, 7:28 PM IST

વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity )સરદાર સરોવર ખાતે તૈયાર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને અર્પણ કર્યું હતું. ત્યારે આવનારી 31 ઓક્ટોબરે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. આ વર્ષે પણ PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને વધુ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમૂહૂર્તનું કરે તેવી સંભાવનાઓ છે. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરીને સમગ્ર દેશને સંબોધન આપે તેવુ પણ આયોજન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

31 ઓક્ટોબરના દિવસે PM મોદી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ
31 ઓક્ટોબરના દિવસે PM મોદી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ

  • નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા
  • 31 ઓક્ટોબરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની લઈ શકે મુલાકાત
  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી આપી શકે છે હાજરી

ગાંધીનગર : વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) સરદાર સરોવર ખાતે તૈયાર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને અર્પણ કર્યું હતું. ત્યારે આવનારી 31 ઓક્ટોબરે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે, જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરીને સમગ્ર દેશને સંબોધન આપે તેવુ પણ આયોજન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી PM નરેન્દ્ર મોદીએ દેશને અર્પણ કર્યું

31 ઓક્ટોબર 2018 ના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે PM નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું લોકાર્પણ દરમિયાન 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને કેવડિયા કોલોની ખાતે તૈયાર કરેલા વિવિધ પ્રકલ્પો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ

ગુજરાત વિધાનસભામાં 182 જેટલા ધારાસભ્યો છે, અને તેને ધ્યાનમાં રાખીને જ 182 ફુટ ની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર રજવાડાંઓને ભેગા કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, ત્યારે 182 ફૂટની પ્રતિમાનું લોકાર્પણ 31 ઓક્ટોબરે કરીને 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ(October 31 is National Unity Day) તરીકે નામ આપવામાં આવ્યું છે.

નવા પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

વર્ષ 2020 ની વાત કરવામાં આવે તો ગત વર્ષે PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને 31 ઓક્ટોબરના રોજ એ નવનિયુક્ત સનદી અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ખાતે પ્રવાસના નવા આકર્ષણ કેન્દ્ર ની પણ મુલાકાત કરીને લોકાર્પણ સાથે અનેક પ્રોજેકટના ખાતમૂહૂર્ત પણ કર્યા હતા. આ વર્ષે પણ PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને વધુ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે સાથે સાથે ખાતમૂહૂર્તનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચોઃ PM મોદીએ દેશને સમર્પિત કર્યા 35 ઑક્સિજન પ્લાન્ટ, ઉત્તરાખંડના CMની પીઠ થપથપાવી

આ પણ વાંચોઃ ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીમાં ગાંધી પરિવારની બાદબાકી, ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.