ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર

author img

By

Published : Jul 1, 2020, 10:16 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત્ત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા હતા.જેમાંથી 368 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 21 મોત લોકોના મોત થયા છે. અમદાવાદના વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોનાની સંખ્યા 21 હજારને પાર થઇ ગઇ છે.

રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો થઇ રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 675 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 21 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 33318 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 368 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 675 કોરોના કેસ નોંધાયા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 208, સુરત મહાપાલિકા વિસ્તારમાં 180, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 50, નવસારી 24, સુરત 21, જામનગર કોર્પોરેશન, ભરૂચ, વલસાડ 15-15, બનાસકાંઠા સુરેન્દ્રનગર 12, મહેસાણા 10, રાજકોટ કોર્પોરેશન, ખેડા 9-9, ગાંધીનગર કોર્પોરેશન, આણંદ 8 અને જૂનાગઢ 8, કોર્પોરેશન અમદાવાદ, વડોદરા 7-7, રાજકોટ 6, પંચમહાલ સાબરકાંઠા 5-5, મોરબી 4, ભાવનગર કોર્પોરેશન અરવલ્લી, કચ્છ, ભાવનગર, અમરેલી, જામનગર 3-3, પાટણ, મહીસાગર, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર 2-2, નર્મદા અને ગીર સોમનાથમા 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 63 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે.

અત્યાર સુધી 1869 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 21038 કેસ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.