ETV Bharat / state

કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારના કાર્યક્રમમાં આપી હાજરી

author img

By

Published : Aug 8, 2019, 9:17 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું. ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા પરંતુ કોંગ્રેસના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકારના કાર્યક્રમમાં આપી હાજરી

રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહેતા ચર્ચાનો વિશષ બન્યો હતો. પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આપેલું આમંત્રણ કલેક્ટર દ્વારા મને મળ્યું હતું.હું એ આમંત્રણ સ્વીકારીને જ કાર્યક્રમમાં આવ્યો છું. બાકી ના ધારાસભ્ય કેમ નથી આવ્યા તે તેમનો પ્રશ્ન છે. પરંતુ પ્રજાનું કામ તો સરકાર જ કરે છે. જ્યારે ભાજપમાં જોડાવા બાબત પર તેઓએ કહ્યું હતું કે, આવી કોઇ જ વાત નથી જ્યારે કોંગ્રેસ પક્ષ તેમના પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેના જવાબમાં પણ તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કાર્યવાહી થશે ત્યારે હું પક્ષને જવાબ આપવા સક્ષમ છું કે, હું શા કારણથી સરકારના કાર્યક્રમમાં આવ્યો હતો.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્ય સરકારના કાર્યક્રમમાં આપી હાજરી
Intro:રાજ્ય સરકારના વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકેના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા જેને લઈને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભાજપના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા પરંતુ કોંગ્રેસના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહેતા લોકોમાં કુતૂહલ જોવા મળી હતી..Body:રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહેતા એટરી ભારત સાથે પ્રદ્યુમનસિંહ જાડેજા એ ખાસ વાત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આપેલું આમંત્રણ કલેક્ટર દ્વારા મને મળ્યું હતું હું એ આમંત્રણ સ્વીકારીને જ કાર્યક્રમમાં આવ્યો છું બાકી ના ધારાસભ્ય કેમ નથી આવ્યા તે તેમનો પ્રશ્ન છે પરંતુ પ્રજાનું કામ તો સરકાર જ કરે છે ને જ્યારે ભાજપમાં જોડાવા બાબત પર તેઓએ કહ્યું હતું કે આવી કોઇ જ વાત નથી જ્યારે કોંગ્રેસ પક્ષ તેમના પર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તેના જવાબમાં પણ તેઓએ જણાવ્યું હતું કે જ્યારે કાર્યવાહી થશે ત્યારે હું પક્ષને જવાબ આપવા સક્ષમ છું કે હું શા કારણથી સરકારના કાર્યક્રમમાં આવ્યો હતો...

વન 2 વન પ્રધુમનસિંહ જાડેજા. Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.