ETV Bharat / state

કાળી ચૌદશે મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિરના દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

author img

By

Published : Oct 24, 2022, 8:21 PM IST

કાળી ચૌદશે મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિરના દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ
કાળી ચૌદશે મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિરના દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

દીપાવલિ પર્વ ( Diwali 2022 ) ના બીજા દિવસ એટલે કે કાળી ચૌદશે મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિરના દર્શન ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) કરવાનો અનેરો મહિમા છે. આ એક જ દિવસ એવો છે જ્યાં ખૂબ જ શ્રદ્ધાથી અહીં થતાં હવનમાં લાલ દોરાની ગાંઠ મારવાનો મહિમા ( knotting red thread in Mahudi Havan ) પામવા લોકો ઉમટી પડે છે.

ગાંધીનગર અમદાવાદથી 70 કિલોમીટર અને ગાંધીનગરથી 37 કિલો મીટર દૂર આવેલ મહુડીમાં આવેલ ઘંટાકર્ણ મહાવીર સ્વામીનું મંદિર આવેલું છે. જેમાં કોરનાના કારણે ગત વર્ષે 400 લોકોની હાજરીમાં જ સરકારના નિયમ અનુસાર હવનમાં હાજર થયા હતાં. પરંતુ હવે જે રીતે કોરોના કાબૂમાં છે ત્યારે આજે કાળી ચૌદશના ( Diwali 2022 ) દિવસે લોકો મહુડી ઘંટાકર્ણ મહાવીર સ્વામીના દર્શન ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) કરવા ઊમટી પડ્યા હતાં.

કાળી ચૌદશના હવનનો ખૂબ છે મહિમા

ચંદનનો ચાંદલો અને સોનાનો વરખ ગાંધીનગર પાસે આવેલા મહુડીના ઘંટાકર્ણ મહાવીર મંદિર ખાતે કાળી ચૌદસની પૂજાનું ખૂબ જ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) મહત્વ છે. કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે આ મંદિરનું ગર્ભ દ્વાર ખુલ્લું રાખવામાં આવે છે અને ભાવિક ભક્તો મૂર્તિને સ્પર્શ કરીને ભગવાન મહાવીરને ચંદનનો ચાંદલો અને સોનાની વરખ પહેરાવે છે. જ્યારે ભગવાનને ચડાવેલા અને લગાવેલા ચંદનના ચાંદલા અને સોનાની વરખ મંદિરના પૂજારી ભાવિક ભક્તોને ચાંદલો કરીને પરત આપે છે. આમ મંદિરમાં જે પણ ભક્તો આવે તેના માથે ચંદનનો ચાંદલો તે પણ સોનાની વરખવાળો કરવામાં આવે છે.

પ્રસાદમાં સુખડીનું મહત્વ પ્રસાદની વાત કરવામાં આવે તો મહુડી મંદિરમાં પ્રસાદમાં પણ એક અનેરો મહિમા છે. જ્યારે આપ મંદિરમાં ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) પ્રસાદ તરીકે સુખડી ( Sukhadi Prasad Sweet ) ધરાવવામાં આવે છે. ભગવાન મહાવીરને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જ્યારે એવી પણ એક માન્યતા છે કે મહુડી ગામના લોકો સુખ સંપત્તિથી રહી શકે અને સારી રીતે જીવન જીવી શકે તેને ધ્યાનમાં લઈને જ સુખડીનો પ્રસાદ માનવામાં આવ્યો હતો અને મહુડીની મંદિરના કેમ્પસની બહાર પ્રસાદ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. જો કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લઈને મંદિરની બહાર જાય તો તેવા ભક્તોને ભગવાનનો ચમત્કારનો પણ અનુભવ પ્રાપ્ત થાય છે.

ટ્રસ્ટીએ કહી મંદિરની વિશેષતા મંદિરના ટ્રસ્ટી નીલેશ મહેતાએ જણાવ્યું હતું કે 200 વર્ષ પહેલા બુદ્ધિસાગર સ્વામીએ દેવને જાગૃત કરીને સ્થાપના ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) કરી હતી. લોકોને કોઈપણ જાતની તકલીફો હોય તે દૂર કરે છે. જ્યારે છેલ્લા બે વર્ષથી કોઈ પબ્લિક આવી શકી ન હતી. આ વખતે ઓપન છે. એક લાખથી વધુ ભાવિક ભક્તો આવવાની શક્યતા છે. તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ દેશવિદેશમાં વસતાં શ્રદ્ધાળુઓને પણ દર્શન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

હવન દરમિયાન 108 માળા અને ગાંઠ મારવાનો મહિમા કાળી ચૌદસના દિવસે મહુડી મંદિરમાં ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) એક હવન કરવામાં આવે છે. હવન દરમિયાન જે લોકો હવનમાં હાજર હોય છે જે લોકો પ્રાંંગણમાં હાજર રહે છે તેવા તમામ ભાવિક ભક્તો લાલ દોરા સાથે પ્રતિ એક કલાકે એક ગાંઠ ( knotting red thread in Mahudi Havan ) મારે છે. કુલ 108 જેટલી લાલ દોરાની ગાંઠ મારવાનો મહિમા પ્રાપ્ત કરવા ગાંઠ મારીને ભક્તિ સાથે જોડાય છે. જ્યારે અહીં આવતા ભાવિક ભક્તો પણ આ મંદિરને પાવર સ્ટેશન તરીકે ઓળખે છે.

શું કહ્યું ભાવિક ભક્તોએ મહુડી મંદિરમાં ( Mahudi Ghantakarna Mahaveer Darshan on Kali Chaudsh ) આજે દર્શન કરવા આવેલ રાહુલ શાહ નામના ભક્તે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મંદિરમાં એક અનેરો મહિમા છે. અમે દર વર્ષે કાળી ચૌદસના દિવસે દર્શન કરવા આવીએ છીએ. તેમની સાથે રહેલા ભાવિક ભક્ત ચેતન રામીએ કહ્યું કે અમે દર વર્ષે અહીંયા દર્શન કરવા આવીએ છીએ. જો કોઈ એક વર્ષ અમે કાળી ચૌદસના દિવસે દર્શન કરવા ન આવ્યાં હોય તો અમને એવું લાગે છે કે એક વર્ષ ખૂબ જ મોટું છે એટલે ફરજિયાત અમે આ મંદિરના દર્શન કરવા માટે આવીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.