ETV Bharat / state

છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોમાં 75 ટકા જ પૂર્ણ થયા, સી આર પાટીલ

author img

By

Published : Nov 5, 2022, 5:04 PM IST

Updated : Nov 5, 2022, 6:59 PM IST

છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોમાં 75 ટકા જ પૂર્ણ થયા, સી આર પાટીલ
છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોમાં 75 ટકા જ પૂર્ણ થયા, સી આર પાટીલ

ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના અમૂક દિવસ પહેલા જ ભાજપ પક્ષે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી દીધી હતી. જેમાં આજે ગુજરાત રાજ્યના ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું કે 75 ટકા જ કામ પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતું. 2017 વર્ષમા જે સંકલ્પો કરવામાં આવ્યા હચા તેમાથી 13 વચનો અધૂરા રહ્યા છે. ક્યા છે તે 13 મુદ્દાઓ જે પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં પૂર્ણ થયા નથી.

ગાંધીનગર વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના (2017 Assembly Elections) અમુક ગણતરીના દિવસો પહેલા જ ભાજપ પક્ષે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત (BJP announced the election manifesto) કરી હતી. આજે ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ (BJP state president of Gujarat) સી.આર. પાટીલે હજુ 75 ટકા જ કામ પૂર્ણ થયા હોવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર (Resolution by BJP party Gujarat) 2017 અંતર્ગત અવિરત વિકાસના સૂત્ર સાથે સંકલ્પ પત્ર 2017ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિની આવકમાં બે ગણો વધારો,યુવા સ્ત્રી સશક્તિકરણના વચનો (Promises of Young Women Empowerment) આપ્યા હતા.

છેલ્લા પાંચ

ક્યાં કામો પૂરા નથી થયા વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા સંકલ્પની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જે સંકલ્પ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાંથી હજુ પણ અનેક કામો પૂર્ણ થયા ન હોવાનું પણ સામે આવ્યું છે. આમ ભાજપ જે પક્ષ દ્વારા 2017ની વિધાનસભામાં વિજય પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં પણ 13 જેટલા કાર્યો પૂર્ણ થયા નથી. જેમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો,

2017માં આપેલા વચનો
2017માં આપેલા વચનો
  • ખેડૂતોની આવક બમણી કરવી
  • વિના મૂલ્ય ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા
  • ઠાકોર અને કોળી વિકાસ નિગમની ગ્રાન્ટ બમણી કરવી
  • બંધ પડેલી સહકારી સંસ્થા પુના જીવિત કરવી
  • મોબાઈલ ક્લિનિક ની શરૂઆત
  • આદિવાસી જમીનનો માલિકી હક
  • સુરત અને બરોડામાં મેટ્રો સેવા
    ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર 2017 અંતર્ગત અવિરત વિકાસના સૂત્ર સાથે સંકલ્પ પત્ર 2017 ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિની આવકમાં બે ગણો વધારો યુવા સ્ત્રીસશક્તિકરણ ના વચનો આપ્યા હતા.
    ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર 2017 અંતર્ગત અવિરત વિકાસના સૂત્ર સાથે સંકલ્પ પત્ર 2017 ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં કૃષિની આવકમાં બે ગણો વધારો યુવા સ્ત્રીસશક્તિકરણ ના વચનો આપ્યા હતા.

આ વખતે ખોટા વચનો નહીં મેનીફેસ્ટો બાબતે રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વધુમાં નિવેદન આપ્યું હતું કે, આ વખતે કોઈ પ્રકારના ખોટા વચનો આપવામાં આવશે નહીં. જે વચનો ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરી શકશે તેવા જ વચનો આપશે. જ્યારે લોકો પાસેથી પણ વચન મંગાવવાની શરૂઆત ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે. પાંચથી 14 નવેમ્બર સુધી ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પર ઓનલાઈન અને ઓફલાઈન મારફતથી સૂચનો મંગાવાની શરૂઆત ભાજપ પક્ષે કરી છે.

15 નવેમ્બર પછી સંકલ્પ પત્રની તૈયારીઓ પાટીલે વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બર સુધી રાજ્યની 182 જેટલી વિધાનસભા વિસ્તારમાં પ્રતિ વિધાનસભા એક બોક્સ મૂકવામાં આવશે. જેમાં લોકોનો પ્રતિભાવ લેવામાં આવશે જ્યારે 15 નવેમ્બર પછી ગાંધીનગર ખાતે સંકલ્પ પત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. જે મહત્વના અને લોકોને સ્પર્શતા મુદ્દા હોય તેને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના સંકલ્પ પત્રમાં રાખવામાં આવશે.

Last Updated :Nov 5, 2022, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.