ETV Bharat / state

Gujarat By Election : સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ

author img

By

Published : Jul 21, 2023, 10:22 PM IST

સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ પક્ષની પાર્લામેન્ટરી બેઠક મળી હતી ત્યાર બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા 28 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Gujarat By Election : સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ
Gujarat By Election : સ્થાનિક સ્વરાજ પેટા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ

ગાંધીનગર : સંજોગો વસાહત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની બેઠકો પર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 22 જુલાઈએ ઉમેદવારી માટેનો અંતિમ દિવસ છે, ત્યારે 20 જુલાઈના રોજ ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે ભાજપ પક્ષની પાર્લામેન્ટરી બેઠક મળી હતી, ત્યારે બેઠકના 24 કલાક પૂર્ણ થયા નથી તે પહેલાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા 28 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ
ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ

કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી : સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી 2 નગરપાલિકાઓની 3 બેઠકો, 18 નગરપાલિકાઓની 19 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. હવે ઉમેદવારોને 22 જુલાઈ 2023ના રોજ ઉમેદવારી માટેનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે. જ્યારે ઉમેદવારોના પત્રનું ચકાસણીને 24 જુલાઈના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 25 જુલાઈ રાખવામાં આવી છે.

6 ઓગસ્ટના દિવસે મતદાન : નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 6 ઓગસ્ટ 2023 રવિવારના રોજ સવારના 07:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કોઈપણ પ્રકારનો વિલંબ અથવા તો કોઈ અઘટિત ઘટના બને તો પુનમ મતદાન 7 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે, ત્યારબાદ 8 ઓગસ્ટ 2023ના રોજ મતગણતરી હાથ ધરીને પેટા ચૂંટણીના પરિણામોની પણ જાહેર કરવામાં આવશે.

આચારસંહિતા : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલી પેટા ચૂંટણીને લઈને 2 મહાનગરપાલિકાઓની 3 બેઠક અને 18 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે જે બેઠક પર ચૂંટણી છે તેવી બેઠક પર શાસક પક્ષ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધિત આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત સંબંધિત કચેરીઓને ચૂંટણી દરમિયાન તાકીદના તબીબી કારણો સિવાય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજુર કરવી નહીં, ઉપરાંત બદલી પણ કરી શકાશે નહીં. જ્યારે સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક પણ આપી શકાશે નહીં, જ્યારે મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત પણ કરી શકાશે નહીં અને વચન પણ નહીં આપી શકાય જ્યારે આ આચારસંહિતા 8 ઓગસ્ટ 2023 પરિણામ સુધી રહેશે.

  1. Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળી, 21 જુલાઈએ જાહેર કરશે ઉમેદવારો
  2. Banaskantha News : ડીસા નગરપાલિકાની વૉર્ડ 9 પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું, 25 વર્ષ પછી લડશે ચૂંટણી
  3. HC stays RMC byelection : રાજકોટ મનપાની બે બેઠકોની પેટા ચૂંટણી સામે હાઇકોર્ટનો સ્ટે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.