ETV Bharat / state

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન: લગ્ન પ્રસંગમાં 300 વ્યક્તિઓને છૂટ

author img

By

Published : Feb 3, 2022, 9:19 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને(Gujarat Core Committee Meeting) મળેલીમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા(Night curfew in Gujarat remains same ) હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં 300 વ્યક્તિઓની મર્યાદા સાથે છૂટછાટ આપવામાં આવી છે.

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન: લગ્ન પ્રસંગમાં 300 વ્યક્તિઓને છૂટ
ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન: લગ્ન પ્રસંગમાં 300 વ્યક્તિઓને છૂટ

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં (Gujarat Core Committee Meeting )મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમાં 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો (Night curfew in Gujarat )અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે. રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 300 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300 ની સંખ્યામાં યોજી શકાશે.

ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા

રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 300 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે.

8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા.11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે 10 થી સવારે 6 સુધી રહેશે.

• મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

• મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે:

• આ નિર્ણયો આવતીકાલે એટલેકે તા. 4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને તા. 11 મી ફેબ્રુઆરી 2022ના સવારે 6:00 વાગ્યા સુધી અમલમાં રહેશે

• રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.

• બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

• રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં(Approved on the occasion of marriage in Gujarat ) લગ્ન સમારોહ યોજી શકાશે.

• લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે .

• કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.11 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે.

• હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

• હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

• મુખ્યપ્રધાને આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.4-02-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા. 11ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

• તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં તારીખ 4થી ફેબ્રુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. 11 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.

• રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 11 ફેબ્રુઆરી 2022ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે

આ પણ વાંચોઃ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં રાત્રિ કરફ્યૂ 18 મે સુધી યથાવત

કોર કમિટિની બેઠક

ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યપ્રધાનો અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણોના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે. મુખ્યપ્રધાની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ, મુખ્યપ્રધાના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

આ પણ વાંચોઃ કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણયઃ પોલીસ હાલ પૂરતો માસ્ક સિવાય બાકીનો દંડ નહીં વસૂલે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.