ETV Bharat / state

સરકારનો લક્ષ્યાંક કુપોષણ મુક્ત ગુજરાત, દરરોજના માત્ર 12 રુપિયા આપશે સરકાર !

author img

By

Published : Jul 24, 2019, 2:34 PM IST

ગાંધીનગર: રાજ્ય સરકાર કુપોષણમુક્ત ગુજરાતની વાતો કરે છે, ત્યારે ગુજરાતમાં સતત કુપોષિત બાળકોનો સ્તર વધી રહ્યો છે. રાજ્ય સરકારનો દાવો છે કે બાળ કુપોષણના મહાદાનવને નાથવા સરકાર કટિબધ્ધ છે, જે અંતગર્ત રાજ્યમાંથી અતિગંભીર કુપોષિત બાળકોને શોધી તેમને સમયસર પોષકતત્વો સભર ખોરાક અને દવા આપવા માટે ‘કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન’ની શરૂઆત કરવામાં આવી છે.

ફાઇલ ફોટો

આંગણવાડીમાં બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે, એ પૈકી સરકાર 6 માસથી 72 માસના બાળકો માટે 8 રૂપિયા અને અતિ ઓછા વજન વાળા બાળકો પાછળ રોજના માત્ર 12 રૂપિયા ખર્ચ કરે છે. સામાન્ય માણસને પણ સમજ પડે એવી વાત છે કે લારી પર જો ચા પીવા જઈએ તો પણ તેના 10 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે આ મોંઘવારીમાં સરકાર 8 રૂપિયા અને 12 રૂપિયામાં પોષણ ક્ષમ આહાર આપી રહી છે. મહત્વની વાત છે કે રાજ્યમાં કુપોષણના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર છે, જે પૈકી 24 હજાર 101 બાળકો અતિ ઓછા વજન વાળા છે. કુપોષિત બાળકોમાં દાહોદ જિલ્લો મોખરે છે, જ્યાં 14,191 બાળકો કુપોષણનો શિકાર છે.

ગૃહમાં જ્યારે આ અંગે થોડા દિવસ અગાઉ ચર્ચા થઈ ત્યારે મુખ્યપ્રધાને ખુદ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, કુપોષણ દૂર કરવું એ સહિયારી જવાબદારી છે.તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ વિષયને પ્રાથમિકતા આપી કામ કરે અને બીજી તરફ સરકાર દરરોજના માત્ર 8 રૂપિયા અને 12 રૂપિયા જેવી મામુલી રકમ ખર્ચ કરી રહી છે.

Intro:રાજ્યમાં કુપોષણ હટાવવાની વાતો કરતી સરકાર ગરીબ અને કુપોષિત બાળકોની જાણેકે મજાક કરતી હોય એમ સહાય કરી રહી છે જેટલા રૂપિયામાં એક ચા નો કપ નથી આવતો એટલા રૂપિયામાં સરકાર પોષણક્ષમ આહાર આપી રહી હોવાની ગુલબંગો હાંકી રહી છે.... Body:એક તરફ મોંઘવારીએ માજા મૂકી છે બીજી તરફ જેટલા રૂપિયામાં એક કપ ચા નથી મળતી એટલા રૂપિયામાં સરકાર કુપોષણ દૂર કરવા પોષણ ક્ષમ આહાર આપી રહી હોવાની કબૂલાત ખુદ સરકાર કરી રહી છે... એક તરફ રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે... ત્યારે સરકાર આ બાળકો સાથે જાણે કે મજાક કરી રહી હોય એમ સામાન્ય રૂપિયાની સહાય કરી રહી છે ... આંગણવાડી માં બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે એ પૈકી સરકાર 6 માસથી 72 માસના બાળકો માટે 8 રૂપિયા અને અતિ ઓછા વજન વાળા બાળકો પાછળ રોજના માત્ર 12 રૂપિયા ખર્ચ કરે છે... સામાન્ય માણસ ને પણ સમાજ પડે એવી વાત છે લારી પર જો ચા પીવા જઈએ તો પણ તેના 10 રૂપિયા વસુલવામાં આવે છે આ મોંઘવારીમાં સરકાર 8 રૂપિયા અને 12 રૂપિયામાં પોષણ ક્ષમ આહાર આપી રહી છે.... છે ને નવાઈ ની વાત રાજ્યમાં કુપોષણના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર છે જે પૈકી 24 હજાર 101 બાળકો અતિ ઓછા વજન વાળા કુપોષિત બાળકોમાં દાહોદ જિલ્લો મોખરે છે જ્યાં 14,191 બાળકો કુપોષિત છે ... Conclusion:ગૃહમાં જ્યારે અંગે થોડા દિવસ અગાઉ ચર્ચા થઈ ત્યારે મુખ્યમંત્રી એ ખુદ ગૃહમાં નિવેદન કર્યું હતું કે કુપોષણ દૂર કરવું એ સહિયારી જવાબદારી છે તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ વિષયને પ્રાથમિકતા આપી કામ કરે અને બીજી તરફ સરકાર દરરોજના માત્ર 8 રૂપિયા અને 12 રૂપિયા જેવી મામુલી રકમ ખર્ચ કરી રહી છે ત્યારે સરકાર કુપોષિત બાળકોની મજાક કરતી હોય એવું ચોક્કસ કહી શકાય
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.