ETV Bharat / state

Gujarat Assembly : વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

author img

By

Published : Sep 28, 2021, 1:02 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો છે.ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા.

gujarat assembly
gujarat assembly

  • ધારાસભ્યોએ વેલમાં નારાઓ લગાવ્યા
  • કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાગી ગયા, કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં


ન્યુઝ ડેસ્કઃ ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાગી ગયા હતા. CM પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.

કોંગ્રેસ પક્ષના તમામ ગૃહમા જબદસ્ત વિરોધ

વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો હતો. કોંગ્રેસના તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા હતા. વેલમાં આવેલા તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા.

કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા હતા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે ધારાસભ્ય વિધાનસભા વેલમાં બેસી ગયા હતા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગિત કરવામાં આવી હતી. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના તમામ ગૃહમાં જબદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા હતા અને નારાઓ ચાલુ રાખીયા હતા.

કોરાનામાં બનેલી ઘટના અંગે વિધાનસભામાં હલ્લાબોલ

કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કહ્યું હતું કે, કોઈ સહાય ચુકવવાની થતી નથી. સરકાર રોજના અવસાન નોધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081 લોકોના મોત દર્શાવ્યા છે. કોંગ્રેસે દ્રારા કોરાનામાં બનેલી ઘટના અંગે વિવિઘ પ્રશ્નોતરી વિધાનસભાએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપના રાજમાં માણસ અને ઢોરનું મૂલ્ય સરખું : વીરજી ઠુમ્મર

આ પણ વાંચોઃ ખાદ્યતેલોમાં ભાવ વધારાની બૂમ વિધાનસભા સુધી પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.