ETV Bharat / state

ગુજરાત વિધાનસભામાં શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા

author img

By

Published : Dec 20, 2022, 1:30 PM IST

Shankar Chaudhary speaker of assembly
Shankar Chaudhary speaker of assembly

વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર(Gujarat Assembly winter session 2022) દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી (Shankar Chaudhary Take Charge As Speaker)છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા (Shankar Chaudhary speaker of assembly)છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમ વખત વિધાનસભા ગૃહની કામગીરી વિપક્ષ વગર શરૂ થઈ છે. કોંગ્રેસ પક્ષે હજુ પણ વિપક્ષ નેતાની જાહેરાત કરી(Congress has still not announced the Lop) નથી.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું 15મી વિધાનસભાની આજે પ્રથમ બેઠક યોજાઈ ((Gujarat Assembly winter session 2022) હતી. જેમાં સૌપ્રથમ અધ્યક્ષની ચૂંટણી કરાઈ હતી પરંતુ વિપક્ષના 17 જ સભ્યો હોવાના કારણે વિપક્ષ અધ્યક્ષ ફોર્મ ભર્યું ન હતું. જેથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી બિન હરીફ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ બન્યા (Shankar Chaudhary Take Charge As Speaker)છે. જ્યારે આ બાબતે પણ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે નિવેદન આપ્યું હતું કે ભાજપે પ્રણાલી તોડીને વિપક્ષને અધ્યક્ષ માટેનું કંઈ પૂછ્યું જ નથી અને આમંત્રણ પણ આપ્યું નથી.

Gujarat Assembly winter session 2022
Gujarat Assembly winter session 2022

વિપક્ષ પદ માટે શૈલેષ પરમારની ટિપ્પણી: ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની નિમણૂક (Shankar Chaudhary Take Charge As Speaker)બાબતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે પોતાના વ્યક્તવ્ય દરમિયાન નિવેદન આપ્યું હતું કે અધ્યક્ષ તરીકે ચૂંટણી માટે વિપક્ષને પૂછવું પડે છે પણ બહુમતી હોવાના કારણે સરકાર પક્ષે વિપક્ષને પૂછ્યું પણ નથી. જે ભાજપે ગુજરાત વિધાનસભાની પ્રણાલી તોડી છે. તેમ છતાં પણ અમે તમને બિનહરીફ તરીકેનો ટેકો આપીએ છીએ. જ્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા પણ ઓછું છે. જેથી વિધાનસભામાં ભાજપ મોટાભાઈ અને કોંગ્રેસ નાનાભાઈ તરીકે છે. જેથી મોટાભાઈ નાનાભાઈનું ધ્યાન રાખજો.

આ પણ વાંચો કચ્છના સફેદ રણમાં વધુ એક આકર્ષણનું કેન્દ્ર કરાયું ઊભું; નવો ગેમ ઝોન શરૂ

5 અને સામે 100 લોકો જેવી પરિસ્થિતિ: પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના વક્તવ્ય દરમિયાન વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે આજે અમે પાંચ જ્યારે સામે 100 જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી (Shankar Chaudhary Take Charge As Speaker)ભગવાન શ્રીકૃષ્ણ જેવી દ્રષ્ટિ રાખે તેવી હળવા ટોનમાં પણ ટિપ્પણી કરી હતી. ગુજરાત વિધાનસભામાં મહાભારતને અર્જુન મોઢવાડિયા યાદ કર્યા હતા. આમ હળવી ટિપ્પણી કરીને અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ધારાસભ્યોને પાંડવ અને ભાજપના ધારાસભ્યોને કૌરવ તરીકે ગણાવ્યા હતા.

શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા
શંકર ચૌધરી બિનહરીફ અધ્યક્ષ તરીકે નિમાયા

વિપક્ષ નહીં સાથી પક્ષ શબ્દ ઉપયોગ કરો: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના 17 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો અને અપક્ષના ત્રણ ધારાસભ્યો છે. અપક્ષના ત્રણ ધારાસભ્ય આજે સવારે જ ભાજપ પક્ષને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના ફક્ત 17 ધારાસભ્યો જ છે જેથી વિપક્ષ માટે સંખ્યા બળ ખૂબ ઓછું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ શબ્દ નહીં પરંતુ સાથી પક્ષ શબ્દનો ઉપયોગ કરવાની સૂચના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી હતી.

આ પણ વાંચો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 96 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પકડાયા

ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષ વગર ગૃહની કામગીરી શરૂ: ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં 60 વર્ષમાં પ્રથમ વખત વિધાનસભા ગૃહની કામગીરી વિપક્ષ વગર શરૂ થઈ છે. કોંગ્રેસ પક્ષે હજુ પણ વિપક્ષ નેતાની જાહેરાત કરી (Congress has still not announced the Lop) નથી. નેતાની જાહેરાતમાં હજુ પણ 15 થી 25 દિવસનો સમય લાગે તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત વિપક્ષ નેતા વગર ગૃહની કામગીરી શરૂ થઈ છે.

Shankar Chaudhary Take Charge As Speaker
Shankar Chaudhary Take Charge As Speaker

ડેરી અને સહકારી ક્ષેત્રે શંકર ચૌધરીના વખાણ: વિધાનસભાની અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની (Shankar Chaudhary speaker of assembly)નિમણૂક બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ડેરી અને સરકારી ક્ષેત્રે શંકર ચૌધરીના વખાણ કર્યા હતા. ડેરીના વિકાસમાં અને સહકારી ક્ષેત્રે શંકર ચૌધરીએ(Shankar Chaudhary speaker of assembly) ખૂબ સારું કામ કર્યું છે. જીતુ વાઘાણીએ પણ વિધાનસભા વિમાન નિવેદન આપ્યું હતું કે શંકર ચૌધરીએ ડેરીને સેવા તરીકે ખૂબ વિકાસ છે કર્યો છે અને સરકારી ક્ષેત્રે પણ ખૂબ આગળ વધાર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.