ETV Bharat / state

ભાજપનો ઉદય કરનારી બાપુનગર બેઠક નહીં જીતે તો પાર્ટીનું કપાઈ જશે નાક, ઉમેદવારે કહી મહત્વની વાત

author img

By

Published : Nov 15, 2022, 12:03 PM IST

ભાજપનો ઉદય કરનારી બાપુનગર બેઠક નહીં જીતે તો પાર્ટીનું કપાઈ જશે નાક, ઉમેદવારે કહી મહત્વની વાત
ભાજપનો ઉદય કરનારી બાપુનગર બેઠક નહીં જીતે તો પાર્ટીનું કપાઈ જશે નાક, ઉમેદવારે કહી મહત્વની વાત

અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક (Bapunagar Assembly Constituency) પર ભાજપે આ વખતે દિનેશસિંહ કુશવાહને ટિકીટ (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) આપી છે. ત્યારે ભાજપના આ ઉમેદવાર સાથે ETV Bharatની ટીમે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે જીતનો દાવો કર્યો હતો.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) અમદાવાદની બાપુનગર બેઠક (Bapunagar Assembly Constituency) હંમેશા ચર્ચામાં રહી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં બાપુનગર અને જમાલપુર ખાડીયા જેવી મહત્વની બેઠક પર કૉંગ્રેસ પક્ષે બાજી મારી હતી.

ભાજપ લગાવશે એડીચોટીનું જોર ત્યારે હવે વર્ષ આ ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા અને બાપુનગર બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે આ વખતે બાપુનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહને (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) ટિકીટ આપી છે. ત્યારે ETV Bharat સાથે ભાજપના આ ઉમેદવારે ખાસ વાતચીત કરી હતી. તો શું કહ્યું તેમણે આવો જાણીએ.

પ્રજા ભાજપને પ્રેમ કરે છેઃ કુશવાહ

કૉંગ્રેસ સાથે કેવી ટક્કર રહેશે બાપુનગર બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહે (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar)ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ સહિત અન્ય પક્ષ સાથે લડતની કોઈ જગ્યા જ નથી. ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ પાસે બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડમાં 8માંથી ફક્ત 2 જ કાઉન્સિલર હતા. જ્યારે આજની વર્તમાન પરિસ્થિતિમાં ભાજપ પક્ષ પાસે 8 કાઉન્સિલર છે. ત્યારે જીતની માર્જિન વધશે. ઉપરાંત બાપુનગર વિધાનસભાના પૂર્વ ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂત પણ અત્યારે પણ મહેનત કરી રહ્યા છે અને વર્ષ 2017 કરતાં વર્ષ 2022માં ભાજપની પરિસ્થિતિ બાપુનગર વિધાનસભા બેઠક પર સારી છે.

કૉંગ્રેસના કાર્યકર્તાઓએ પહેર્યો ભગવો ખેસ ભાજપના ઉમેદવાર દિનેશસિંહ કુશવાહે (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017 કરતાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપની પરિસ્થિતિ ખૂબ સારી છે. જ્યારે વર્તમાન સમયમાં કૉંગ્રેસના અનેક કાર્યકર્તા હોય ભાજપનો ભગવો પણ પહેર્યો છે.

પ્રજા ભાજપને પ્રેમ કરે છેઃ કુશવાહ તેમણે (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) ઉમેર્યું હતું કે, બાપુનગર વિધાનસભા વિસ્તારમાં (Bapunagar Assembly Constituency) એવી પણ વાતો થઈ રહી છે કે, કેટલીક જગ્યા ઉપર અમુક વિસ્તારમાં ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ટેબલ પણ ગોઠવાશે નહીં. ત્યારે તેના પ્રશ્નના જવાબમાં દિનેશ કુશવાહે જણાવ્યું હતું કે, આ પ્રજા છે, જે લોકો ભાજપને પ્રેમ કરી રહ્યા છે અને આવી ઘટના પણ બની શકે તેમ છે.

વિકાસના મુદ્દે ચૂંટણી લડવામાં આવશે ભાજપના ઉમેદવારે (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) ચૂંટણીના મુદ્દા અંગે જણાવ્યું હતું કે, વિકાસના મુદ્દે બાપુનગર વિધાનસભા બેઠકમાંથી મત (Bapunagar Assembly Constituency) મેળવવામાં આવશે. જ્યારે સમગ્ર દેશમાં ગુજરાત વિકાસ મોડલ છે. તેને ધ્યાનમાં લઈને જ મત મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે પણ વિકાસના નામે જ ચૂંટણી થઈ હતી અને આજે પણ આ જ મુદ્દે વર્ષ 2022ની ચૂંટણી લડવામાં આવશે.

પ્રશ્નો અને સમસ્યાઓના થશે સમાધાન? બાપુનગર વિધાનસભામાં અનેક પડતર પ્રશ્નો છે કે જે હજુ પણ ઉકેલ આયા નથી. ત્યારે આ બાબતનો જવાબ આપતા દિનેશ કુશવાહે (BJP Candidate Dineshsinh Kushwah for Bapunagar) જણાવ્યું હતું કે, વિકાસનો મુખ્ય એજન્ડા છે અને વિકાસના મુદ્દામાં જે પણ કામો આવતા હશે. તે તમામ કામો પૂર્ણ કરવામાં આવશે અને તમામ કામોમાં અગ્રેસર રહીશું. જ્યારે રોડરસ્તા, પાણી અને ગટરના મુદ્દે અત્યારે કોર્પોરેશન હસ્તકે કામ લઇ રહ્યા છે. તો આગામી દિવસોમાં વિધાનસભાના ક્ષેત્રે પણ રોડરસ્તા સહિત અને પ્રશ્નો અને અનેક સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે.

જાણીએ બાપુનગર વિધાનસભાનું ગણિત અહીં કુલ 2,07,000 મતદારો છે. તેમાંથી 46,000 મુસ્લિમ મતદારો, 34,000 દલિત મતદારો, 14,000 પટેલ મતદારો, 32,000 પરપ્રાંતીય મતદારો (ઉત્તરપ્રદેશ, બિહારી. ઉત્તરાખંડ), 6000 (જેમાં માત્ર ગુજરાતી) બ્રાહ્મણ મતદારો, 3,000 વાણિયા મતદારો છે. જ્યારે બક્ષીપંચ મતદારોની વાત કરીએ તો, 27,000 પટ્ટણી મતદારો, 14,000 પદ્મશાલી મતદારો, 11,000 રાજસ્થાની મતદારો, 12,000 અન્ય બક્ષીપંચ મતદારો (બારોટ, મિસ્ત્રી, પ્રજાપતિ), 8,000 અન્ય (બંગાળી, તમિલ, કેરળ, અન્ય) મતદારો છે.

બાપુનગર બેઠક જીતવી કેમ જરૂરી ભાજપ માટે બાપુનગર વિધાનસભા બેઠકની (Bapunagar Assembly Constituency) વાત કરીએ તો, અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠકથી ભાજપ નો ઉદય થયો હતો. અત્યારે વર્તમાન સમયમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર પણ બાપુનગરના કોર્પોરેટર છે. ત્યારે આ બેઠક ભાજપ માટે મહત્વની મનાઈ રહી છે. આ ઉપરાંત પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (CR Patil BJP State President) પણ બાપુનગરમાં 2થી વધુ વખત મુલાકાત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.