ETV Bharat / state

રાજયમાં નવા વધુ 127 ફરતા પશુ દવાખાના શરુ કરાશે: રાઘવજી પટેલ

author img

By

Published : Nov 2, 2022, 5:25 PM IST

રાજયમાં હજુ પણ નવા 127 ફરતા પશુ દવાખાના શરુ (Animal Health Services) કરવામાં આવશે.“કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ” દ્વારા રાજ્યના કુલ 31 શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે. તમામ એમ્બ્યુલન્સમાં જીપીએસ સિસ્ટમ આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે

રાજયમાં નવા વધુ 127 ફરતા પશુ દવાખાના શરુ કરાશે: રાઘવજી પટેલ
રાજયમાં નવા વધુ 127 ફરતા પશુ દવાખાના શરુ કરાશે: રાઘવજી પટેલ

ગાંધીનગર ગુજરાતમાં વર્તમાન પશુ આરોગ્ય સેવાઓના (Animal Health Services) વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં 127 નવા ફરતા પશુ દવાખાનાઓ મંજુર કરવામાં આવ્યા છે. આ નવીન 127 પશુ દવાખાના કાર્યરત થતાં રાજ્યના 1270 થી વધુ ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠાં પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ થશે. જેથી પશુઓની આરોગ્યમાં વધુ સુધારો થતા દૂધ ઉત્પાદન વધશે અને પરિણામે રાજયના પશુપાલકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે.

ઇમરજન્સી સેવાઓ રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હાલમાં શહેરી વિસ્તારમાં 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ- 1962 ” તથા “10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે GVK- EMRI મારફતે સફળતાપુર્વક વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 ” દ્વારા રાજ્યના કુલ 31 શહેરોમાં નધણિયાતા પશુઓને ઇમરજન્સી ધોરણે સારવાર આપવામાં આવે છે. જ્યારે 460 મોબાઇલ પશુ દવાખાના થકી રાજ્યના 5298 ગામોમાં ઓન કોલ ઇમરજન્સી ધોરણે અને રૂટના ગામોમાં ગામ બેઠા પશુપાલકોને વિના મુલ્યે પશુસારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સરકારના સફળ અમલીકરણ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સફળ અમલીકરણના ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ફરતા પશુ દવાખાનાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ખરીદી સહિતના કેપિટલ ખર્ચ માટે 100% સહાય જયારે કે એકમો ચલાવવા માટેના ઓપરેશન ખર્ચના 60% કેન્દ્ર સરકાર અને 40% રાજય સરકારન ધોરણે સહાય આપવામાં આવે છે. અગાઉના 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” તથા 460 ફરતા પશુદવાખાના ઓના ધોરણ મુજબ પીપીપીના ધોરણે GVK-EMRI મારફતે વધુ 127 ફરતા એકમો પણ કાર્યરત કરવામાં આવશે. 127 નવા ફરતા પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે રૂપિયા. 8.89 કરોડ જયારે ઓપરેશન ખર્ચ માટે દર વર્ષે રૂપિયા. 17 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

જીપીએસની સુવિધા તમામ એમ્બ્યુલન્સમાં જીપીએસ સિસ્ટમ આ યોજનાના તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે. કુદરતી અને માનવ સર્જીત આફતના સમયમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.