ETV Bharat / state

રાજ્યમાં ઘરે ઘરે નળ ધરાવતો પ્રથમ જિલ્લો બનતો ગાંધીનગર, CM 15 ઓગસ્ટે જાહેર કરે તેવી શક્યતા

author img

By

Published : Aug 14, 2020, 4:15 PM IST

ઘરે ઘરે નળ
ઘરે ઘરે નળ

રાજ્યમાં ગાંધીનગર જિલ્લાના ગામડામા રહેતા દરેક ઘર સુધી પાણીનો નળ પહોંચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર નલ સે જલ' પ્રોજેક્ટને 2022 સુધીમાં સમગ્ર દેશમાં પૂર્ણ કરવાનો છે. ત્યારે રાજ્યમાં વાસ્મોની સહાયતાથી ગાંધીનગર જિલ્લો આ પ્રોજેક્ટ પૂર્ણ કરનારો પ્રથમ બન્યો છે. ત્યારે આ જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 15 ઓગસ્ટના રોજ કરે તેવી પૂરી શક્યતા છે.

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તથા ગાંધીનગર તાલુકાના ગામડાઓમાં 2,83,048 નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. વાસ્મો દ્વારા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની પાણી સમિતિને સાથે રાખીને યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા જિલ્લામાં 563 નળ કનેક્શન આપવાના બાકી હતા. જે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલે 15 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મુખ્યપ્રધાનના હસ્તે યોજાવાનો છે. ત્યારે ગાંધીનગર જિલ્લાને રાજ્યમાં ઘરે ઘરે નળ ધરાવતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે.

ગાંધીનગર જિલ્લાને રાજ્યમાં ઘરે ઘરે ન ધરાવતો પ્રથમ જિલ્લો જાહેર કરવામાં આવે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ એ જ જીવન મિશન હેઠળ વર્ષ 2022 સુધી સમગ્ર દેશમાં એક પણ ઘર નળના કનેક્શન વિના ન રહે તેવું સ્વપ્ન સેવવામાં આવ્યું છે. ઘરે ઘરે નળ કનેકશન ધરાવનારું સમગ્ર દેશમાં તેલંગાણા પ્રથમ રાજ્ય છે. તેલંગાણામાં 80થી 85 ટકા જેટલી કામગીરી થઇ ચૂકી છે. જ્યારે ગુજરાતમા આશરે 76 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ગાંધીનગર જિલ્લાને બાદ કરતાં અન્ય જિલ્લાઓના નાના ગામડાઓમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.