ETV Bharat / state

Congress Janmanch: 8000 વિઘા જમીનો ટ્રસ્ટના નામેથી મળતીયાઓને આપવાનું ષડયંત્ર રચાયું છેઃ અમિત ચાવડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 6:48 PM IST

Updated : Sep 12, 2023, 7:27 PM IST

ગાંધીનગરમાં કૉંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરમાં કૉંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ફક્ત 17 બેઠકો જ પ્રાપ્ત થઈ હતી. ત્યારે લોકોની વચ્ચે જવા માટે કોંગ્રેસ પક્ષે તમામ જિલ્લાઓ-તાલુકાઓમાં જનમંચનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેમાં આજે ગાંધીનગર શહેર-જિલ્લાના જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષ નેતા અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપરાંત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કૉંગ્રેસ જનમંચ કાર્યક્રમમાં સત્તાપક્ષ ઉપર કૌભાંડના આરોપ કર્યા છે. વિસ્તારપૂર્વક વાંચો કૉંગ્રેસના જનમંચ કાર્યક્રમ વિશે.

Congress Janmanch

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર શહેરમાં યોજાયેલ જનમંચના કાર્યક્રમમાં જમીન કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી જમીનના હક લઈ લેવામાં આવ્યા છે અને લેન્ડ ગ્રેબિંબ એક્ટનો દુરઉપયોગ થયો હોવાની માહિતી પણ સામે આવી છે. ભાજપે પોતાના મળતીયા અને અમુક ચોક્કસ લોકોને ફાયદો કરાવવા માટે જમીન કૌભાંડ કર્યુ હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે. અમદાવાદના કલોલ અને સાણંદની 8000 વીઘા જેટલી જમીન પર હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. આ જમીનોની કુલ કિંમત 20000 કરોડ રૂપિયાથી પણ વધુની થવા જઈ રહી છે. આમ, કુલ 20000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું છે.

સુઆયોજિત જમીન કૌભાંડઃ ગુજરાતના વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગુજરાતની સ્થાપના દિવસથી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કર્યુ હતું. જેમાં અલગ અલગ જિલ્લા-તાલુકાઓમાં જનમંચ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં જમીનો પચાવવાની અનેક ફરિયાદો સામે આવી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી ચાલતી ડબલ એન્જિન સરકારમાં સરકારી અધિકારીઓ બેફામ થયા છે. પોલીસ દ્વારા કેટલાક અધિકારીઓ જમીનના કબજા લેવડાવી રહ્યા છે. ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેનો ગણોતિયાનો હક કે અધિકાર મળતો નથી. જમીન પચાવવા માટે વ્યવસ્થિત અને સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે.

કોંગ્રેસે જમીન આપી, ભાજપે જમીન લીધીઃ કોંગ્રેસની સરકારોએ ગાણોતિયાઓને ખેડૂત બનાવ્યા હતા. એ ખેડૂતો પાસેથી જમીન પાછી પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું છે. બાપદાદાના વર્ષોથી કબજાવાળી જમીન ખેડૂતો પાસેથી ભૂમાફિયાએ સરકાર, સરકારી અધિકારીઓ અને પોલીસની મદદથી પડાવી લીધી છે. આ જમીનોની કુલ કિંમત રૂ.20000 કરોડ જેટલી થાય છે.

તત્કાલીન ગાંધીનગર જિલ્લા કલેકટર મસમોટું જમીન કૌભાંડ કર્યુ હતું. એક હિન્દુ અને એક મુસ્લિમ દ્વારા જમીન ગાયોના ગોચર તેમજ પાંજરાપોળ માટે આપવામાં આવી હતી. સરકારમાં બેઠેલા કેટલાક લોકોએ જમીન પચાવી પાડી, સરકારે કલેક્ટરને જેલમાં નાખવા પગલાં લીધા હતા. પરંતુ આખી પ્રક્રિયા ખોટી થઈ હોય ત્યારે કૌભાંડમાં તત્કાલીન મુખ્યપ્રધાન, તત્કાલીન પ્રધાનો, તત્કાલિન મુખ્ય સચિવ હોય તેમની સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. ત્યારે ખેડૂતોએ પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ખડુતોના હિત માટે આ બાબતની રજૂઆત વિધાનસભામાં કરવામાં આવશે...અમિત ચાવડા(નેતા, વિપક્ષ, ગુજરાત)

  1. Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યો
  2. MLA અનંત પટેલે પાટીલને આપ્યો વળતો જવાબ, તો સુખરામ રાઠવા અને અમિત ચાવડાએ પૂછ્યા ખબર અંતર
Last Updated :Sep 12, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.