ETV Bharat / state

Education Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય

author img

By

Published : Jan 14, 2022, 8:07 PM IST

Education Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય
Education Minister Jitu Vaghani: સરકારની સંવેદનશીલતા, રાજ્યના શિક્ષણપ્રધાને લીધો નિર્ણય

ગુજરાત રાજ્યમાં કોરાનાના વધતા કેસને (Corana case In Gujarat) ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા અનેક વિભાગોમાં 15 જાન્યુઆરીના રજાની ઘોષણા કરી છે. આ નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) વચ્ચે થયેલી ચર્ચા બાદ લેવાયો છે.

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરાનાના વધતા કેસને (Corana case In Gujarat) ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા અનેક વિભાગોમાં 15 જાન્યુઆરીના રજાની ઘોષણા કરી છે, ત્યારે આ સંદર્ભે આજે શુક્રવાના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) વચ્ચે થયેલી ચર્ચા બાદ રાજ્યના શિક્ષણ વિભાગની તમામ કચેરીઓમાં 15 જાન્યુઆરી શનિવારએ રજા જાહેર કરાય છે.

જાણો 15 તારીખે ક્યાં વિભાગો કાર્યરત રહેશે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો પ્રમાણે covid-19ના વધતા કેસોને નિયંત્રણમાં લાવવા લોકો સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓ તેમજ આવશ્યક એટલે કે તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગો જેવા કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તેની સંલગ્ન કચેરીઓ તથા નાગરિક પુરવઠા વિભાગ, કલેકટર કચેરી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કચેરીઓ પંચાયત નગરપાલિકાઓ હોય મહાનગરપાલિકાઓ અને તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ,અધિકારીઓ ગેસ વીજ વિતરણ કરતી કંપનીઓ, પોલીસ તંત્ર હોમગાર્ડને નાગરિક સંરક્ષણ કચેરીઓ કાર્યરત રહેશે. આ તમામ વિભાગને બાદ કરતા બધા વિભાગોની જાહેર રજાનું સરકાર દ્વારા એલાન કરાયું છે.

તમામ કોલેજો અને શાળાઓમાં રજા જાહેર

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્યની શાળાઓ અને કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને પણ રજાનો લાભ મળે તેમજ પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તેને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ હસ્તક તમામ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં 15 જાન્યુઆરી શનિવારના રોજ રજા જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો:

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 129 કેસ નોંધાયા, 66 દર્દીઓ સ્વસ્થ થયા

Corona In Gujarat: 14થી 16 જાન્યુઆરી સુધી ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ વિભાગમાં રજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.