ગાંધીનગર : સરકારમાં બેઠેલા અધિકારીઓ દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવું ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, પરિપત્રમાં સુધારો થઇ ગયો હોવા છતાં સરકારના મંત્રીઓને તેની ભણક પણ ન હતી. હવે ઘોડા છૂટી ગયા પછી સરકાર તબેલાને તાળા મારવા મથામણ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સરકારે આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટો કરી રહી છે, પરંતુ પોતાની ભૂલ સુધારવાની જગ્યાએ આંદોલન સમેટી લેવાની સુફિયાણી સલાહ આપી રહી છે, ત્યારે આજે સોમવારે નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની હાજરીમાં સમાજના આગેવાનો વચ્ચે બેઠક કરી હતી. જેમાં થોડા-ઘણા સુધારા કરવાની વાત માનવામાં આવી હતી. જ્યારે આગેવાનોએ સાંજે સભા સંબોધીને આંદોલન ચાલુ રાખવું કે બંધ તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ આંદોલોન વચ્ચે નવો વળાંક સામે આવ્યો છે જેમાં મહિલા આંદોલનકારીઓ વચ્ચે હવે પરૂષ વર્ગ પણ આંદોલનમાં જોડાયો છે.
SC, ST, OBC આગેવાનોની એક જ માગ, GADનો પરિપત્ર રદ કરો
ગાંધીનગર : સરકારમાં બેઠેલા અધિકારીઓ દ્વારા વર્ગ વિગ્રહ થાય તેવું ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, પરિપત્રમાં સુધારો થઇ ગયો હોવા છતાં સરકારના મંત્રીઓને તેની ભણક પણ ન હતી. હવે ઘોડા છૂટી ગયા પછી સરકાર તબેલાને તાળા મારવા મથામણ કરી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સરકારે આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટો કરી રહી છે, પરંતુ પોતાની ભૂલ સુધારવાની જગ્યાએ આંદોલન સમેટી લેવાની સુફિયાણી સલાહ આપી રહી છે, ત્યારે આજે સોમવારે નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની હાજરીમાં સમાજના આગેવાનો વચ્ચે બેઠક કરી હતી. જેમાં થોડા-ઘણા સુધારા કરવાની વાત માનવામાં આવી હતી. જ્યારે આગેવાનોએ સાંજે સભા સંબોધીને આંદોલન ચાલુ રાખવું કે બંધ તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ આંદોલોન વચ્ચે નવો વળાંક સામે આવ્યો છે જેમાં મહિલા આંદોલનકારીઓ વચ્ચે હવે પરૂષ વર્ગ પણ આંદોલનમાં જોડાયો છે.