ETV Bharat / state

કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ

author img

By

Published : Dec 22, 2022, 8:10 PM IST

Discussion about corona in cabinet meeting
Discussion about corona in cabinet meeting

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં (cabinet meeting cm bhupendra patel) યોજાયેલ બેઠકમાં કોરોના બાબતે ચર્ચા કરવામાં (Discussion about corona in cabinet meeting) આવી હતી. ઋષિકેશ પટેલે (Rushikesh Patel minister of gujarat) મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (testing tracking and treatment), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી (Strategies for Appropriate Behavior in Covid) અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોના સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા

ગાંધીનગર: દેશમાં અને ગુજરાત રાજ્યમાં નવા વેરિયન્ટના 2 કેસ સામે આવ્યા (new sub varient omicron bf 7) હતા. આજે વધુ વિદેશથી આવેલ યાત્રીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં કોરોના બાબતે ચર્ચા કરવામાં આવી (Discussion about corona in cabinet meeting) હતી. કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel minister of gujarat) મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (testing tracking and treatment), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી (Strategies for Appropriate Behavior in Covid) અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં કેસ ઓછા: દેશના અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા 1 માસમાં રાજ્યમાં એવરેજ 5થી 10 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત 23 જેટલા છે. ભારતમાં કુલ એક્ટીવ કેસ 3402 છે. જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટીવ કેસની સંખ્યા ખુબ જ ઓછી છે. દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે.

આ પણ વાંચો કોરોનાને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, 100 બેડનો વોર્ડ તૈયાર કરાયો

હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાશે: રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં (mock drill will be held in the hospital) આવશે. જેથી જરૂર પડે ત્યારે યુધ્ધના ધોરણે આ પ્લાન્ટસનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસીટી પણ વધારવામાં આવશે. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતુ કે, રાજ્યની હોસ્પિટલો, પી.એચ.સી અને સી.એચ.સી સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે ગઈકાલે તમામ તબીબો ,અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વીડિયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપીને સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજાર થી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજાર થી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય (mock drill will be held in the hospital) છે.

4 હજાર સેમ્પલના જીનોમ સિક્વન્સ: ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે જીનોમ સિકવન્સિંગ સંદર્ભે (Genome sequences of 4 thousand samples) જણાવ્યું હતુ કે, હાલ આર.ટી.પી.સી.આર પોઝીટીવ દર્દીનું ઝીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહીને 4 હજારથી વધુ ઝીનોમ સીકવન્સિંગ ટેસ્ટ કરવાની કેપીસીટી (Genome sequences of 4 thousand samples) છે. રાજ્યમાં થયેલ કોરોના રસીકરણ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત શરૂઆતથી જ કોરોના રસીકરણની કામગીરીમાં અગ્રેસર રહ્યું (Genome sequences of 4 thousand samples) છે.

ગુજરાતના દર્દીઓ થયા સાજા: આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા રાજ્યોમાં BF.7 વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં નોંધાયેલ BF.7 થી સંક્રમિત 3 દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા હતા. રાજ્યમાં થયેલા શ્રેષ્ઠ રસીકરણના પરિણામે હાલ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. રાજ્યની જનતાને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવરનું સ્વયંભૂ રીતે પાલન કરવા તેમજ કોવિડ સંદર્ભે આપવામાં આવનાર સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો જૂનાગઢમાં સંભવિત કોરોનાની લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્રની બેઠક

પ્રમુખસ્વામી નગરને કોરોના એડવાઇઝરી મોકલવામાં આવી: રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સાંપ્રત કોવિડ 19ના નવા વેરિયન્ટ bf.7 બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારનું માનવું છે કે, હાલ નવા વેરિયન્ટને લઈને ચિંતા કરવા જેવો કોઈ વિષય નથી. ભારતીય બનાવટની રસીની અસર એટલી નવા વેરિયન્ટ મુદ્દે કોઈ ચિંતા કરવા જેવી નથી. કોરોના નવા વેરિયન્ટ ચિંતાનો વિષય નથી. જેથી હાલ કોઈ કડક નિયમ લાદવામાં આવશે નહિ. જો કે, રાજ્યમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી નગર કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા એડવાઇઝરી આપવામાં આવી (Corona advisory sent to Pramuchswami Nagar) છે. પ્રમુખસ્વામી નગરની મુલાકાતે જતા લોકોએ તેનું પાલન કરવું પડશે. આ ઉપરાંત નવા કોઈ નિયમો લગાવામાં આવ્યા (Corona advisory sent to Pramuchswami Nagar) નથી.

કાંકરિયા કાર્નિવલ અંગે વિપક્ષનો પત્ર

કાંકરિયા કાર્નિવલ અંગે વિપક્ષનો પત્ર: ડિસેમ્બર માસના અંતમા કાંકરિયા કાર્નિવલનું અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે (shahejad khan pathan lop of amc) અમદાવાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનર પત્ર લખીને જાણ કરી (Opposition letter regarding Kankaria Carnival) છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા કોર્પોરેશન તંત્રએ અને શાસકો પક્ષ સમજી વિચારીને આ ફેસ્ટિવલ ઉજવવવો કે નહીં તેનો વિચાર કરવો જોઈએ અને મને આશા છે કે અમદાવાદ કોર્પોરેશન અને કમિશનર નાગરિકોના હિતમાં નિર્ણય લેશે. જો કે આરોગ્ય પ્રધાને જવાબ કાંકરિયા કાર્નિવલને લઈને જણાવ્યું હતું કે આગામી સમયમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ, ફલાવર શો, પતંગ ઉત્સવ વિશે ઋષિકેશ પટેલે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન આધારે પાલન થશે. જો કે, હાલના તબક્કે રાજ્ય સરકાર તહેવારમાં કોઈ પણ પ્રકારના નિયમ કે પ્રતિબંધો લગાવશે નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.