ETV Bharat / state

નેશનલ લો યુનિવર્સિટીમાં તમામ સરકારી વકીલોને તેડું, સરકારી વકીલોને આપવામાં આવશે ટ્રેનિંગ

author img

By

Published : Jun 10, 2022, 7:44 PM IST

ગુજરાતના સરકારી વકીલોની કોન્ફરન્સ રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં રાખવામાં આવી છે. સરકારી વકીલની ખાસ કોન્ફરન્સ 12 જૂનના દિવસે નેશનલ લો યુનિવર્સિટીમાં(National Law University) રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

નેશનલ લો યુનિવર્સિટીમાં તમામ સરકારી વકીલોને તેડું, સરકારી વકીલોને આપવામાં આવશે ટ્રેનિંગ
નેશનલ લો યુનિવર્સિટીમાં તમામ સરકારી વકીલોને તેડું, સરકારી વકીલોને આપવામાં આવશે ટ્રેનિંગ

ગાંધીનગરઃ ગુજરાતના સરકારી વકીલોની એક ખાસ કોન્ફરન્સ રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની( Law Minister Rajendra Trivedi)અધ્યક્ષતામાં રાખવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં જે સરકારી કેસો કોર્ટમાં( Conference of Public Prosecutors)ચાલી રહ્યા છે તેમાં કન્વેન્શનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે તે કન્વેન્શન રેટમાં વધારો થાય અને સરકારી વકીલ વધુમાં વધુ કે સરકાર તરફથી હુકમ આવે તે હેતુથી સરકારી વકીલની ખાસ કોન્ફરન્સ 12 જૂન ના દિવસે નેશનલ લો યુનિવર્સિટીમાં(National Law University)રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી વકીલોની કોંફરન્સ

પુરાવા બાબતે ચર્ચા - સરકારી વકીલો પાસે અમુક સમયે પુરાવાના અભાવે કે આરોપી છૂટી જતા હોય છે અથવા તો સરકાર વિરોધી નિર્ણય આવતો હોય છે ત્યારે આવા કેસને તાત્કાલિક ધોરણે સરકારી વકીલને જે પણ પુરાવાની (Conference of Public Prosecutors )જરૂર હોય તેવા પુરાવાઓ તાત્કાલિક ધોરણે મળી રહે તે બાબતે પણ રાજ્ય સરકાર ખાસ આયોજન કરી રહી છે અને ગણતરીના સમયમાં જ તમામ પુરાવાઓ સરકારી વિભાગમાંથી પ્રાપ્ત થાય તે બાબતનું સંશોધન પણ કરવામાં આવશે, જ્યારે અમુક કેસમાં પુરાવાના અભાવે પેન્ડિંગ રહેતા હોય છે ત્યારે આવા કેસોનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ આવે તે બાબતની ચર્ચા પણ આ કોન્ફરન્સમાં કરવામાં આવશે.

હાઇકોર્ટ, સેશન કોર્ટ, ગ્રાહક સુરક્ષા, તમામ સરકારી વકીલોને તેડું - રાજ્યના કાયદા પ્રધાન પોતે પણ હાઇકોર્ટના વકીલ રહ્યા છે અને તેઓએ ભૂતકાળમાં મોટા કેસ લડ્યા છે ત્યારે કાયદાનું વધારે જ્ઞાન હોવાના કારણે કોઈ પણ આરોપી જલદી છૂટી ન શકે અને સરકારના પક્ષમાં નિર્ણય આવે તે માટે લાગતા વળગતા વિભાગને સરકારી વકીલ જાય તો તાત્કાલિક ધોરણે તેમને પુરાવા મળે તે બાબતે રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રકારના કોર્ટનો નિર્ણય સરકાર વિરોધી ન આવે અને પક્ષ માજ નિર્ણય આવે તેવું ખાસ આયોજન કરવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત રાજ્યના ઇન્ચાર્જ ડાયરેક્ટ જગરૂપસિંહ રાજપુત જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા કેસ: સરકાર તરફથી 11 વિશેષ સરકારી વકીલની નિમણુક

ગુજરાત ત્રીજા નંબરે - કન્વર્ઝન રેટની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં ગુજરાતને કન્વેન્શન રેટમાં ત્રીજો નંબર આવે છે. પ્રથમ નંબર મધ્યપ્રદેશ છે ઉલ્લેખનીય છે કે અત્યારે વર્તમાન સમયમાં ગુજરાતનો કન્વીનશન રેટ 43 ટકાની આસપાસ છે. જ્યારે આવનારા દિવસોમાં પણ આવકમાં સતત વધારો થાય તેને ધ્યાનમાં લઈને જે રાજ્યના તમામ જિલ્લાના સરકારી વકીલોની એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાર્જશીટ પહેલા 25 કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તે અંગેની પણ સમજણ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યનો પ્રથમ કિસ્સો, 1,000થી વધુ જામીન અરજીઓ રદ કરાવતા રાજકોટના સરકારી વકીલ

વર્ષ 2020માં અમલમાં આવ્યો નિયમ - સુપ્રીમ કોર્ટના કાયદા પ્રમાણે રાજ્ય પ્રોસીક્યુશન નિયમો 2020 માં અમલમાં મૂકવામાં આવ્યા છે. ડાયરેક્ટર ઓફ સ્ટેશનના ઈન્ચાર્જ ડાયરેક્ટર રાજપૂત અને નાયબ નિયામક રાકેશ રાવલ મીડિયા સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના લગભગ 613 તાલુકા કોટવા ફરજ બજાવતાં સરકારી વકીલો માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પોલીસ ઇન્વેસ્ટીગેશન તથા ફોજદારી કોર્ટમાં ચાલતા કેસમાં ગુણવત્તામાં સુધારો થાય તથા રાજ્યમાં કન્વિક્શન રેટમાં વધારો થાય તે માટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 25 એ મુજબ રાજ્ય સરકારે 2019 ના વર્ષમાં ડાયરેક્ટર ઓફ ટ્યુશનની કચેરી કાર્યરત કરી હતી. જ્યારે સુધારો થાય તેને ધ્યાનમાં લઇને આ કચેરી દ્વારા પોલીસ ઇન્વેસ્ટીગેશન તેમજ કોર્ટ કામગીરીની દેખરેખ રાખવી અને જરૂરી સલાહ સૂચનો પણ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.