ETV Bharat / state

ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ, જાણો કોણ જશે દિલ્હી

author img

By

Published : Aug 8, 2021, 5:20 PM IST

ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ કરવામાં આવી છે. 2005ની બેચના 49 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તથા તેને સમકક્ષ હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ, જાણો કોણ જશે દિલ્હી
ગુજરાતના 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ, જાણો કોણ જશે દિલ્હી

  • 2005ની બેચના 49 IAS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિ
  • કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તથા સમકક્ષ હોદ્દા પર નિયુક્તિ
  • બંછાનિધી પાની, શાલિની અગ્રવાલ સહિત 6 IAS દિલ્હી જશે

ન્યુઝ ડેસ્ક: રાજ્યના વધૂ 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 2005ની બેચના 49 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તથા તેને સમકક્ષ હોદ્દા પર નિયુક્તિ કરવામાં આવી છે. આ 6 IAS અધિકારીઓમાં બંછાનીધિ પાની, શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજીથકુમાર, કે.કે.નિરાલાના નામનો સમાવેશ થાય છે.

આ 6 IAS અધિકારીઓની કેન્દ્રમાં કરવામાં આવી છે નિયુક્ત

  1. બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
  2. હર્ષદકુમાર પટેલ, એમ.ડી, ટ્રાન્સપોર્ટ વિભાગમાં
  3. શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
  4. પી ભારતી, લેબર વિભાગના કમિશનર
  5. રણજિત કુમાર, MSME વિભાગના કમિશનર, ગાંધીનગર
  6. કે.કે. નિરાલા, સચિવાલયમાં ગૃહ વિભાગમાં એડિશનલ સેક્રેટરી, ગાંધીનગર

અગાઉ પણ રાજ્યના 103 IAS અધિકારીઓની થઈ હતી બદલી અને બઢતી

ઉલ્લેખનીય છે કે, 9 જૂનના રોજ 26 જેટલા અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી ત્યારે આજે 19 જૂનના રોજ વધુ 77 અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 77 જેટલા IAS અધિકારીઓની બદલીના સત્તાવાર રીતે આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં 26 IAS અધિકારીઓની બદલી અને બઢતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.