- આવતી કાલે બપોરે અમિત શાહ માણસા પહોંચશે
- માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે અમિત શાહ
- અમિત શાહનો પરિવાર ગામ લોકો સાથે ગરબે ઘૂમ્યો
ગાંધીનગર : આવતીકાલે બપોરે બહુચરમાતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. જેમાં ખાસ કરીને કેન્દ્રીય પ્રધાન અમિત શાહની ઉપસ્થિત રહેશે. જે તેમના વતન માણસામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. મંદિરના આ મહોત્સવ નિમિત્તે તેમનો પરિવાર અગાઉથી જ તેમના વતનમાં પહોંચ્યો હતો. અમિત શાહના પત્ની સોનલબેન તેમના પુત્ર વધુ અને ગામલોકો સાથે અગાઉની તૈયારીમાં ભાગ લીધો અને ગરબે રમ્યા હતા. આ નિમિત્તે જય શાહે પણ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચોઃ શુક્રવારથી શહેરી ગ્રામ્ય વિસ્તારમાં 2,500 સેવાસેતુ કાર્યક્રમમાં 56 સેવાઓ પૂરી પડાશે
આ પણ વાંચોઃ અમદાવાદમાં 'ઈદ-એ-મિલાદ'ના જુલુસને જગન્નાથ મંદિરના મહંતે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું