ગાંધીનગર તાલુકાના ખોરજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સાંજના 6 વાગ્યે એક ભયંકર અકસ્માત થયો હતો. ખોરજથી વૈષ્ણોદેવી તરફ જતા રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી પેશન બાઈક 4547 પર આવી રહેલા 43 વર્ષીય દિલીપકુમાર નાથુભાઈ અસારીનું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક ભિલોડાનો રહેવાસી છે. કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇકના પણ ટુકડા થઈ ગયા હતા.
ગાંધીનગર: ખોરજ પાસે કન્ટેનરની ટક્કરે બાઇક ચાલકનું મોત
ગાંધીનગર તાલુકાના ખોરજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સાંજના 6 વાગ્યે એક ભયંકર અકસ્માત થયો હતો. ખોરજથી વૈષ્ણોદેવી તરફ જતા રોડ ઉપર એક કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી પેશન બાઈક 4547 પર આવી રહેલા 43 વર્ષીય દિલીપકુમાર નાથુભાઈ અસારીનું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક ભિલોડાનો રહેવાસી છે. કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઇકના પણ ટુકડા થઈ ગયા હતા.
ગાંધીનગર,
ગાંધીનગર તાલુકાના ખોરજ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી વૈષ્ણોદેવી તરફ જતા રસ્તા ઉપર સાંજે છ વાગ્યાના અરસામાં એક કન્ટેનર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સામે આવી રહેલા બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બનાવ સ્થળે જ બાઈક ચાલકનું મોત થઈ ગયું હતું. આ બનાવની જાણ અડાલજ પોલીસ સ્ટેશને કરતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.Body:મળતી માહિતી મુજબ ખોરજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સાંજના 6:00 એક ભયંકર અકસ્માત થયો હતો ખોરજ થી વૈષ્ણોદેવી તરફ જતા રોડ ઉપર એક કન્ટેનર નંબર જીજે 01 બીવી 1528નાં ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેથી પેશન બાઈક નંબર જીજે 31 ઇ 4547 પર આવી રહેલા 43 વર્ષીય દિલીપકુમાર નાથુભાઈ અસારી (રહે, ઓમ રેસીડેન્સી અડાલજ મૂળ વતન ભિલોડા)નું બનાવ સ્થળે જ મોત થઈ ગયું હતું.Conclusion:કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકના પણ ટુકડા થઈ ગયા હતા આ ઘટનાની જાણ અડાલજ પોલીસ સ્ટેશનને કરતા સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનરની ટક્કરથી બાઈક ચાલકને હાથ અને મોઢાના ભાગે ઇજાઓ થતા મોત થયું હતું. બોડી અડાલજ પીએચસી સેન્ટર પોસ્ટમોર્ટમ કરવા લઈને આવી હતી.