ETV Bharat / state

કલોલને પ્રદૂષણથી બચાવવા માટે 500 સાયકલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન

author img

By

Published : Sep 14, 2019, 7:12 PM IST

ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં પ્રદુષણ આરોગ્ય માટે ખતરો થઇ રહ્યો છે. પર્યાવરણનું નુકસાન અને વાહનોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણ પ્રદુષિત કરી રહ્યા છે, ત્યારે કલાલમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા દ્વારા કલોલ શહેરમાં પર્યાવરણ બચાવવા, સાયકલ ચલાવીને આરોગ્ય જાળવણીના સંદેશા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વિદ્યાર્થીઓ દ્વારા ગંદકી મુક્ત કલોલ શહેર બનાવવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

કલોલને પ્રદુષણથી બચાવવા માટે 500 સાયકલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન

પશ્ચિમી સંસ્કૃતિને કારણે દરેકની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. ખાનપાનમાં પણ ફેરફાર આવ્યો છે. લોકોને સ્વાસ્થય ઉપરાંત શારીરિક સમસ્યાઓમાં વધારો થયો છે, ત્યારે કલોલમાં આવેલી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા 'સાયકલ ચલાવો આરોગ્ય જાળવો'ના બેનર હેઠળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ સાયકલ લઇને વિવિધ પ્રકારના બેનરો સાથે જોડાયા હતા.

કલોલને પ્રદુષણથી બચાવવા માટે 500 સાયકલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન

આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય એ.કે પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવા માટેના અભિયાન વિશે પણ વાત કરી હતી અને આપણી એક ફરજના ભાગ રૂપે આ અભિયાનમાં સહભાગી થવા જણાવ્યું હતું. એટલું જ નહીં આ વર્ષે સમગ્ર દેશ ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે આ શાળા દ્વારા પણ ગાંધી જયંતિના દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

Intro:હેડલાઈન) કલોલને પ્રદૂષણથી બચાવવા માટે શૈક્ષણિક 500 સાયકલ સાથે રેલી યોજી

ગાંધીનગર,

રાજ્યમાં પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો થઈ રહ્યો છે. પર્યાવરણનું નુકસાન અને વાહનોમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઇડ મુસીબત કરી રહ્યો છે. ત્યારે કલોલમાં આવેલી એક શૈક્ષણિક સંસ્થા દ્વારા સમગ્ર કલોલ શહેરમાં પર્યાવરણ બચાવવા, સાયકલ ચલાવ આરોગ્ય જાળવોના સંદેશ સાથે સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ રેલી સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી વિદ્યાર્થીઓ દ્વારા ગંદકી મુક્ત કલોલ શહેર બનાવવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.Body:પશ્ચિમી સંસ્કૃતિના કારણે નાગરિકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ખાનપાંમાં પણ ફેરફાર આવી ગયો છે. ત્યારે લોકોનું આરોગ્ય ઝડપથી બગડી રહ્યું છે. વૈભવી જીવનશૈલીના કારણે શારીરિક સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે. કલોલમાં આવેલી અને વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાઈકલ ચલાવો આરોગ્ય જાળવોના બેનર હેઠળ યોજવામાં આવી હતી. રેલીમાં શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ સાયકલ લઈને વિવિધ પ્રકારના બેનરો સાથે જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી રેલીએ અને જગ્યાએ ઊભી રહીને નાગરીકોને પર્યાવરણ અને સાયકલ રેલી સહિતની માહિતી આપી હતી.Conclusion:શાળાના ટ્રસ્ટી અને પૂર્વ ધારાસભ્ય એ.કે. પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત, બેટી બચાવો બેટી પઢાવો, પ્લાસ્ટિક મુક્ત દેશ બનાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણી પણ ફરજ બની શકતી અભિયાનમાં સહભાગી થઈએ આજે દેશમાં પ્લાસ્ટિક એ મોટી સમસ્યા છે વૃક્ષોના જતન ના અભાવે દેશમાં પ્રદુષણ મોટી સંખ્યામાં ફેલાઇ રહી છે. નાગરિકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી છે. ગાંધીજીના સિદ્ધાંતો મુજબ નાગરિકો કામ કરે જાગૃતિ આવે તે સંદેશ સાથે આજે વિદ્યાર્થીઓએ કલોલ શહેરમાં આવેલી હતી. જ્યારે આ ગામે આજરોજ ગાધીજયતી આવશે. ત્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.