ETV Bharat / state

Shani Jayanti 2022: આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

author img

By

Published : May 30, 2022, 1:16 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હાથલા ગામને શનિદેવનું પ્રાગટય(Hathla Shanidev Temple) સ્થળ માનવામાં આવે છે. શનિ જ્યંતિના દિવસે આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી શનિભકતો(Shani Jayanti 2022)ઉમટી પડયા હતા. શનિદેવના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી હતી. અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે.

Shani Jayanti 2022: આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી
Shani Jayanti 2022: આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ભાણવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટય (Shani Jayanti at Hahtla)સ્થળ માનવામાં આવે છે. જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે, તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ (Shani Jayanti 2022)પ્રગટ્યા હતા. મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ શનિ જયંતિના દિવસે આ ગામે પહોંચે છે. અહીંયા ભગવાન શનિદેવના મંદિર પટાંગણા શનિકુંડ આવેલો છે ત્યાં સ્નાન કરી જૂતા ચમ્પલ ઉતારી પનોતી ઉતરતા હોઈ છે.

શનિદેવ

આ પણ વાંચોઃ Somnath Beggars : વાહ..! ભિક્ષુકોએ છોડ્યું ભિક્ષાવૃત્તિનું કામ, તો હવે શું કરશે ?

પનોતી દેવીની પ્રતિમા આવેલ - આજરોજ શનિ જ્યંતિના દિવસે આ ઐતિહાસિક સ્થળે વહેલી સવારથી શનિભકતો (Shani Temple Gujarat)ઉમટી પડયા હતા. શનિદેવના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો લાગી હતી. ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ ભારતભરમાંથી આવેલા દર્શનાર્થીઓ શનિદેવની કૃપા મેળવી મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અહીં શનિદેવની સાથો સાથ નવ ગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે. એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચંપલ મૂકી જતા હોય છે. અહીં આવેલ પવિત્ર કુંડના પાણીથી સ્નાન કરી શ્રદ્ધાળુઓ શનિ દેવની કૃપા પ્રાપ્ત કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Shani Jayanti સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વે કરો શનિ મહારાજના દર્શન

ભક્તોની વહેલી સવારેથી લાંબી કતારો - હાથલાના શનિદેવ મંદિરના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે. અહીં આવેલા ભક્તો શનિદેવતાની કૃપા પ્રાપ્ત કરવા શનિદેવને તેલ, અડદ , કાળું કપડું, લોખંડ ધરી પૂજા અર્ચના કરી છે. શનિ જ્યંતીના દિવસે હજારોથી વધુ ભક્તો અહીં પહોચી રહ્યા છે અને વહેલી સવારેથી લાંબી કતારો લાગી હતી. આ તકે ધર્મપ્રેમી લોકો દ્વારા પ્રસાદ રૂપી ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.