ETV Bharat / state

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં જનસભાને સંબોધન કરી કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

author img

By

Published : Feb 17, 2020, 6:08 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી છે. સોમવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાષ્ટ્રપતિએ દમણના અને સેલવાસના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે નવા એક સંઘપ્રદેશ બનેલા દાદર નગર હવેલી દમણ અને દિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

દમણ: દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી છે. સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હેલિકોપ્ટર મારફતે દમણ કોસ્ટ ગાર્ડ ખાતે ઉતરાણ કરી, 11વાગ્યે સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજીત મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ્રપતિએ દમણના અને સેલવાસના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ પ્રસંગે નવા એક સંઘપ્રદેશ બનેલા દાદર નગર હવેલી દમણ અને દિવની જનતાને અભિનંદન પાઠવ્યાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દમણમાં જનસભાને સંબોધન કરી કરોડોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
રાષ્ટ્રપતિએ સૌપ્રથમ દમણમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું લોકાર્પણ અને નવા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં નાની દમણ મરવડ સરકારી હોસ્પિટલમાં બનનારી 300 બેડની હોસ્પિટલ, જેટી ગાર્ડન, જમપોર ખાતે બનનાર પક્ષીઘર, પંચાયતના આંતરિક રસ્તાઓનું નવીનીકરણ, કોલક નદી પર નવો બ્રિજ, આયુષ્માન ભારત યોજના અંતર્ગત બનેલા 6 હેલ્થ વેલનેસ સેન્ટર, ડાભેલ સ્પોર્ટ ગ્રાઉન્ડ, સૂર્યોદય આવાસ યોજના હેઠળ 40 લાભાર્થીઓને આવાસની ચાવી સોંપવાનું, સેલવાસના બીલધરી રિવર બ્રિજનું લોકાર્પણ સહિત વીજળી અને પાણી પુરવઠાની યોજનાના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તે સાથે આ પ્રદેશમાં થયેલા શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણીની સવલતો અંગે કરેલા કાર્યોની સરાહના કરી પ્રશાસનના વખાણ કર્યા હતાં. રાષ્ટ્રપતિએ બે અલગ સંઘપ્રદેશમાંથી એક સંઘપ્રદેશ બનેલા દાદરા નગર હવેલી દમણ અને દીવના લોકોને ગુજરાતીમાં અભિનંદન પાઠવ્યાં હતાંરાષ્ટ્રપતિ સાંજે 4:00 વાગ્યે મોટી દમણ જેટીથી જમપોર બીચ માર્ગ નું લોકાર્પણ કર્યા બાદ એ માર્ગની મુલાકાત લઇ અને ત્યાંથી સેલવાસ જવા રવાના થવાના હતાં. સેલવાસમાં સાંજે દમણગંગા રિવરફ્રન્ટ પર આયોજિત સાંસ્ક્રુતિક કાર્યક્રમ નિહાળશે. જે દરમિયાન સંઘપ્રદેશના VVIP 160 લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે, તેે લોકો જ રાષ્ટ્રપતિને મળી શકશે. આ કાર્યક્રમના કવરેજથી મીડિયાને પણ બાકાત રખાયું છે. તે બાદ દમણગંગા સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે. 18મી ફેબ્રુઆરીએ સવારે સેલવાસથી સૂરત જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે 17 વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે દમણની મુલાકાત લીધી હતી. તેના લાંબા અંતરાય બાદ દમણમાં રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે દમણની મુલાકાતે આવ્યાં હતાં. ેતેમનું સ્વાગત કરવા દમણ, દીવ અને દાદરા નગરથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે રાષ્ટ્પતિના આગમન સમયે અને જતી વખતે ઉભા થઇ રાષ્ટ્રગીત ગાઈ દેશના સર્વોચ્ચ નાગરિકની ગરિમાને સન્માન આપ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.