ETV Bharat / state

જાણો રામ અને રાવણના સમયથી યોજાયતી કાવડયાત્રાના મહત્વ વિશે

author img

By

Published : Aug 11, 2019, 5:30 PM IST

વાપી: શ્રાવણ માસમાં કાવડયાત્રાનું અનેરુ મહત્વ છે. આ અંગે ઉત્તર ભારતમાં કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો ગંગાનું પવિત્ર પાણી લઈને તે જળ શિવલિંગ પર ચઢાવે છે. જે કાવડિયાના નામે ઓળખાય છે. છેલ્લા બે દાયકામાં કાવડયાત્રાની લોકપ્રિયતા ઘણી વધી છે. સમાજના દરેક વર્ગના લોકો યાત્રામાં સામેલ થાય છે. ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં વસતા ઉત્તર ભારતીયો સાથે હવે સ્થાનિક લોકો પણ કાવડયાત્રામાં ઉત્સાહભેર જોડાય છે. જેઓ ગંગાનું નહીં તો પ્રસિદ્ધ મંદિર કે, નજીકની પવિત્ર નદીનું પાણી લોટા કે ડબ્બામાં ભરી કાવડના છેડે બાંધી નજીકના શિવ મંદિર સુધી પગપાળા યાત્રા યોજે છે.

etv bharat vapi

બદલાતા સમય પ્રમાણે હવે કાવડયાત્રા ડીજેના તાલે યોજાતી થઈ છે. જેમાં તમામ ડીજેના તાલે વાગતા ભગવાન શિવના ભજનો સાથે નાચતા પસાર થાય છે. કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે? અને સૌ પ્રથમ કાવડીયા કોણ હતા? તે અંગે અલગ-અલગ સ્થાનોથી જુદી-જુદી માન્યતા પ્રવર્તે છે.

જે માન્યતા મુજબ ભગવાન રામ પ્રથમ કાવડીયા હતા. જેમણે બિહારના સુલતાનગંજથી કાવડમાં ગંગાજળ ભરીને બાબા ધામમાં શિવલિંગ પર અભિષેક કર્યો હતો. કેટલાક પુરાણોની વિગતો પ્રમાણે શિવભક્ત રાવણે પણ કાવડ યાત્રા કરી છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને પીવાથી ભગવાન શિવનું ગળું નીલા રંગનું થઇ ગયું હતું. અને તે નીલકંઠ કહેવાયા, પરંતુ તેની અસરે ભગવાન શિવ પર નકારાત્મક અસર પડી આ અસરમાંથી મુક્ત થવા તેમણે પરમ ભક્ત રાવણને યાદ કર્યો હતો. રાવણે કાવડમાં જળ ભરીને મહાદેવ મંદિરમાં શિવજી પર જળ અભિષેક કર્યો હતો. કાવડયાત્રાની પરંપરા શરૂ થઈ છે તેમ મનાય છે. તો દેવતાઓએ પણ શિવને ઝેરની અસરમાંથી મુક્ત કરવા પવિત્ર નદીઓનું શીતળ જળ ચઢાવ્યું હતું.

રામ અને રાવણના સમયથી યોજાય છે. કાવડયાત્રા

કેટલાક વિદ્વાનો જણાવે છે કે, સૌ પ્રથમ કાવડિયા ભગવાન પરશુરામ હતા. તેવો ઉત્તરપ્રદેશના બાગપત પાસે આવેલા પુરા મહાદેવના મંદિરે કાવડ લઈને ગયા હતા. અને ગંગાજળનો અભિષેક કર્યો હતો. જ્યારે વધુ એક માન્યતા મુજબ ત્રેતાયુગમાં પોતાના માતાપિતાને કાવડમાં લઈને યાત્રા કરાવનાર શ્રવણકુમાર પ્રથમ કાવડિયા હતા. જેમણે પોતાના જોઈ નહીં શકતા માતા-પિતાને હિમાલયના ઉના ક્ષેત્રથી માયાપુરી એટલે કે હરિદ્વારમાં ગંગા સ્નાન કરાવ્યું હતું.

આ તમામ માન્યતા મુજબ કોણે પ્રથમ કાવડિયા તરીકે આ પ્રથા શરૂ કરી તેના કરતા કાવડયાત્રા યોજતા આજના કાવડિયાઓને મન શિવને ચઢાવતા જળાભિષેકનું મહત્વ અને પુણ્ય કમાવાનું મહત્વ વધારે છે. પછી તે પગપાળા હોય, બાઈક પર હોય, કે ડીજેના નાચગાન સાથે, બસ શ્રદ્ધા છે. શિવને જળાભિષેક કરી પુણ્ય કમાયાની છે.

Intro:વાપી :- શ્રાવણ માસમાં યોજાતી કાવડયાત્રા અંગે ઉત્તર ભારતમાં કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો ગંગાનું પવિત્ર પાણી લઈને તે જળ શિવલિંગ પર ચઢાવે છે. જે કાવડિયા ના નામે ઓળખાય છે. છેલ્લા બે દાયકામાં કાવડયાત્રાની લોકપ્રિયતા ઘણી વધી છે. અને સમાજના દરેક વર્ગના લોકો યાત્રામાં સામેલ થાય છે. ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં વસતા ઉત્તર ભારતીયો સાથે હવે સ્થાનિક લોકો પણ કાવડયાત્રામાં ઉત્સાહભેર જોડાય છે. જેઓ ગંગાનું નહીં તો પ્રસિદ્ધ મંદિર કે નજીકની પવિત્ર નદીનું પાણી લોટા કે ડબ્બામાં ભરી કાવડના છેડે બાંધી નજીકના શિવ મંદિર સુધી પગપાળા યાત્રા યોજે છે.


Body:બદલાતા સમય પ્રમાણે હવે કાવડયાત્રા ડીજેના તાલે યોજાતી થઈ છે. જેમાં તમામ ડીજેના તાલે વાગતા ભગવાન શિવના ભજનો સાથે નાચતા પસાર થાય છે. કાવડ યાત્રાનો ઇતિહાસ શું છે? અને સૌ પ્રથમ કાવડીયા કોણ હતા? તે અંગે અલગ-અલગ સ્થાનોથી જુદી-જુદી માન્યતા પ્રવર્તે છે.

જે માન્યતા મુજબ ભગવાન રામ પ્રથમ કાવડીયા હતા. જેમણે બિહારના સુલતાનગંજથી કાવડમાં ગંગાજળ ભરીને બાબા ધામમાં શિવલિંગ પર અભિષેક કર્યો હતો. તો, કેટલાક પુરાણોની વિગતો પ્રમાણે શિવભક્ત રાવણે પણ કાવડ યાત્રા કરી છે. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને પીવાથી ભગવાન શિવનું ગળું નીલા રંગનું થઇ ગયું હતું. અને તે નીલકંઠ કહેવાયા. પરંતુ, તેની અસરે ભગવાન શિવ પર નકારાત્મક અસર પાડી આ અસરમાંથી મુક્ત થવા તેમણે પરમ ભક્ત રાવણ ને યાદ કર્યો. ત્યારબાદ રાવણે કાવડમાં જળ ભરીને મહાદેવ મંદિરમાં શિવજી પર જળ અભિષેક કર્યો હતો. અને ત્યારથી, કાવડયાત્રાની પરંપરા શરૂ થઈ છે તેમ મનાય છે. તો દેવતાઓએ પણ શિવને ઝેરની અસરમાંથી મુક્ત કરવા પવિત્ર નદીઓનું શીતળ જળ ચઢાવ્યું હતું.

કેટલાક વિદ્વાનો જણાવે છે કે, સૌ પ્રથમ કાવડિયા ભગવાન પરશુરામ હતા. તેવો ઉત્તરપ્રદેશના બાગપત પાસે આવેલા પુરા મહાદેવના મંદિરે કાવડ લઈને ગયા હતા. અને ગંગાજળનો અભિષેક કર્યો હતો.

જ્યારે વધુ એક માન્યતા મુજબ ત્રેતાયુગમાં પોતાના માતાપિતાને કાવડમાં લઈને યાત્રા કરાવનાર શ્રવણકુમાર પ્રથમ કાવડિયા હતા. જેમણે પોતાના જોઈ નહીં શકતા માતા-પિતાને હિમાલયના ઉના ક્ષેત્રથી માયાપુરી એટલે કે હરિદ્વારમાં ગંગા સ્નાન કરાવ્યું હતું.


Conclusion:જો કે, આ તમામ માન્યતા મુજબ કોણે પ્રથમ કાવડિયા તરીકે આ પ્રથા શરૂ કરી તેના કરતા કાવડયાત્રા યોજતા આજના કાવડિયાઓને મન શિવને ચઢાવતા જળાભિષેક નું મહત્વ અને પુણ્ય કમાવાનું મહત્વ વધારે છે. પછી તે પગપાળા હોય, બાઈક પર હોય, કે ડીજેના નાચગાન સાથે, બસ શ્રદ્ધા છે. શિવને જળાભિષેક કરી પુણ્ય કમાયાની
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.