ETV Bharat / state

મેઘરાજાને રિઝવવા માટેની આદિવાસી મહિલાઓની આવી પરંપરા તમે ક્યાંય જોઈ નહીં હોય !

author img

By

Published : Jul 24, 2019, 11:19 AM IST

Updated : Jul 24, 2019, 11:38 AM IST

દાહોદ: જિલ્લામાં ચોમાસાની ઋતુની શરૂઆત બાદ વરસાદ આવ્યાને ઘણો સમય વીતી ગયો હોવાથી વરસાદના આગમન માટે મેઘરાજાને રિઝવવા ધાનપુર પંથકની મહિલાઓ ધાડપાડૂ બનીને ગીત ગાતા ગાતા હનુમાનજીના મંદિરે પહોંચે છે. જ્યાં તેઓ મૂર્તિને છાણથી લીંપણ પણ કરે છે. બાદમાં 2 દિવસ પછી જ્યાં હનુમાનજીને સ્વાધ્યાયપોથીથી નવડાવી પૂજા અર્ચના કરે છે. જો કે આ સમગ્ર પ્રક્રિયા આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે પૂજા કરવાથી મેઘરાજા વરસતા હોય છે. જેથી પશુધન તરસ છીપાઇ અને વાવેતર કરેલ પાક નિષ્ફળ જતા બચી જતો હોવાની એક માન્યતાઓ રહેલી છે.

મેઘરાજાને રિઝવવા આદિવાસી મહિલાઓ ધાડપાડુ બનીને કરે છે, ગોદરા પૂજન

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ચોમાસા ઋતુની શરૂઆતમાં વરસાદ વરસવાની સાથે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો વાવેતર થયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે. જેને પગલે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે આ સમસ્યામાંથી નિરાકરણ મેળવવા માટે ધાનપુર પંથકની આદિવાસી મહિલાઓ ધાડપાડૂ બનીને મેઘરાજા તેમજ હનુમાનજી ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી મેઘરાજાની સવારીનું આગમન ન થયું હોવાથી જિલ્લાના નાગરિકો સહિત ખેડૂતોમાં પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ પાક નિષ્ફળ જાય તો દુષ્કાળ પડી શકે છે, આ સાથે જ પશુધનને પણ પાણી ચારાની તકલીફ પડવાની શક્યતા વધી રહી હોવાથી મેઘરાજાને મનાવવા માટે આદિવાસી પરંપરા પ્રમાણે વિધિવત્ત પૂજાઓ કરવામાં આવી રહી છે. તો ધાનપુર પંથકની જેમ જ ગરબાડા પંથકમાં પણ વરસાદ મનાવવાને માટે ગોદરા પૂજનની વિધિ કરવામાં આવી રહી છે.

મેઘરાજાને રિઝવવા આદિવાસી મહિલાઓ ધાડપાડુ બનીને કરે છે, ગોદરા પૂજન

જ્યારે ધાનપુર પંથકમાં મહિલાઓ ધાડપાડૂ બનીને હથિયાર સાથે નિકળી ગામના સામે આવેલા મંદિરો સુધી જઈ રહી છે. ધાનપુર તાલુકાના રામપુર ગામે ભાતીગળ ભાષામાં મેઘરાજાને મનાવવાના ગીતો ગાઇને હાથમાં હથિયાર સાથે નિકળેલી મહિલાઓને સામે કોઈ આવી જાય તો તેમની પાસેથી યથાશક્તિ નાણાં મેળવી હનુમાનજી મંદિરે પહોંચે છે. જ્યાં પ્રથમવાર હનુમાનજીને છાણથી લીંપણ કરીને પોતાના ઘરે પરત ફરતી હોય છે.

આ સાથે આ મહિલાઓએ નેમ મુકી છે કે, જો બે દિવસમાં જો વરસાદનું આગમન નહીં થાય તો, તેઓ પુરુષોના વસ્ત્ર પહેરીને મારક હથિયારો સાથે ગીતો ગાઇને ધાડપાડૂ બનીને હનુમાનજી મંદિરે જતી જોવા મળે છે. મંદિરે જઈ ગીતો ગાઇને હનુમાનજીની મૂર્તિએ કરેલ લીપણ શુદ્ધ જળથી ધોઈ સ્નાન કરાવે છે. આ વિધિ પૂર્ણ કરીને ઘરે ગયા બાદ મેઘરાજાનું આગમન થતું હોવાની માન્યતાઓ રહેલી છે.

Intro:દાહોદ જિલ્લાના ધાનપુર પથકમાં આદિવાસી મહિલાઓ રૂઢિગત પરંપરા મુજબ ધાડપાડુ બની વરસાદને મનાવવાના પ્રયાસો કરતી જોવા મળી


ચોમાસાના આરંભે વરસાદ વરસ્યા બાદ પખવાડિયાથી અદ્રશ્ય થયેલા મેઘરાજાને મનાવવા માટે ધાનપુર પંથકની મહિલાઓ ધાડપાડુ બનીને હનુમાનજી ની મૂર્તિ ને લી પણ કરે છે અને બે દિવસ બાદ પુનઃ મેઘરાજાને રીઝવવા ના ગીતો ગાતી દે મંદિરે પહોંચે છે જ્યાં હનુમાનજીને સ્વાધ્યાયપોથી નવડાવી પૂજા અર્ચના કરે છે આદિવાસી પરંપરા પ્રમાણે પૂજા કરવાથી મેઘરાજા વરસતા હોય છે જેથી પશુધનની તરસ છીપે છે અને વાવેતર કરેલ પાક નિષ્ફળ જતા બચી જતો હોવાની માન્યતા રહેલી છેBody:આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ચોમાસા ઋતુ ની શરૂઆતમાં વરસાદ વરસવાની સાથે ખરીફ પાકનું વાવેતર થતું હોય છે વાવેતર થયા બાદ વરસાદ લાંબો વિરામ લે અને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાય ત્યારે પંથકની આદિવાસી મહિલાઓ ધાડપાડુ બનીને મેઘરાજા તેમજ હનુમાનજી ભગવાન ને રીઝવવાનો પ્રયાસ કરતી હોય છે દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી વરસાદ હાથતાળી આપી દેતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે પાક નિષ્ફળ જાય તો દુષ્કાળ પડે અને પશુધનને પાણી ચારાની તકલીફ પડવાની શક્યતા વધી જવાના કારણે મેઘરાજાને મનાવવા માટે આદિવાસી પરંપરા પ્રમાણે વિધિયો કરવામાં આવતી હોય છે ગરબાડા પંથકમાં વરસાદ મનાવવાને માટે ગોદરા પૂજન ની વિધિ કરવામાં આવી રહી છે જ્યારે ધાનપુર પંથકમાં મહિલાઓ ધાડપાડું બનીને હથિયાર સાથે નીકળી ગામના સામે આવેલા મંદિરો સુધી જઈ રહી છે ધાનપુર તાલુકાના રામપુર ગામે ભાતીગળ ભાષામાં મેઘરાજાને મનાવવાના ગીતો ગાતી જઈ હાથમાં હથિયાર સાથે નીકળેલી મહિલાઓ ને સામે કોઈ આવી જાય તો તેમની પાસેથી યથાશક્તિ નાણાં મેળવી હનુમાનજી મંદિરે પહોંચે છે જ્યાં પ્રથમવાર હનુમાનજીને છાણથી લીપવામાં આવે છે અને પરત ઘરે આવતી હોય છે બે દિવસમાં જો વરસાદનું આગમન નહીં થાય તો પરત પુરુષોના વસ્ત્ર પરિધાન કરીને મારક હથિયારો સાથે ગીતો ગાતી જઈને ધાડપાડુ બનીને હનુમાનજી મંદિરે જતી જોવા મળે છે મંદિરે જઈ ગીતો ગાઇને હનુમાનજીની મૂર્તિએ કરેલ લીપણ શુદ્ધ જળથી ધોઈ સ્નાન કરાવે છે આ વિધિ પૂર્ણ કરીને ઘરે ગયા બાદ મેઘરાજાનું આગમન થતું હોવાની માન્યતા રહેલી છે

(1)બાઈટ સ્થાનિક મહિલા કની બેન

(2) બાઈ ટ સ્થાનિક મહિલા સવિતાબેનConclusion:
Last Updated :Jul 24, 2019, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.