ETV Bharat / state

સરકારી શાળામાં પીવાના પાણીના ફાંફા ને તંત્ર મારે છે સ્માર્ટસ્કૂલના ફાંકા

author img

By

Published : Dec 31, 2022, 3:44 PM IST

Updated : Dec 31, 2022, 9:13 PM IST

ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રાથમિક સુવિધામાં આવતા પીવાના પાણીની વ્યવસ્થા (Impurity of drinking water ) અસ્તવ્યસ્ત છે. પાણીના પરબની પરિસ્થિતિના દ્રશ્યો (Water Problem in Bhavnagar Corporation Schools ) શિક્ષણ સમિતિ ક્યાંય બેદરકારીને છતી કરે છે. જાણીએ શું છે પરિસ્થિતિ અને ક્યાં નથી શાળામાં પાણી વ્યવસ્થા. જોકે, હકીકત એ પણ છે કે, જ્યારે પણ શિક્ષણ વિભાગ પોતાની વાત રજૂ કરે છે ત્યારે પોતાની સ્કૂલ સ્માર્ટસ્કૂલ હોવાની ફાંકાફોજદારી કરે છે.

ભાવનગરની સરકારી શાળાઓમાં શુદ્ધ પાણીની કપાણ, જૂઓ શાળાઓની હાલત
ભાવનગરની સરકારી શાળાઓમાં શુદ્ધ પાણીની કપાણ, જૂઓ શાળાઓની હાલત

48 બિલ્ડીંગમાંથી 12 બિલ્ડીંગની શાળામાં પાણીના ધાંધીયા

ભાવનગર રામ રાખે એને કોણ ચાખે. હા સરકારી શાળાઓમાં ક્યાંક પાણીની વ્યવસ્થા નથી તો ક્યાંક શુદ્ધ પાણી મળતું (Impurity of drinking water ) નથી. જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં દાતા મહેરબાન છે. પણ 48 બિલ્ડીંગમાંથી 12 બિલ્ડીંગની શાળામાં પાણીના ધાંધીયા તો ક્યાંક (Water Problem in Bhavnagar Corporation Schools )પાણી નથી. જાણો વિગતથી.

આ પણ વાંચો શિક્ષણ વિભાગના આદેશ પછી પણ પ્રકાશનો અને ખાનગી શાળાઓની દાદાગીરી યથાવત્, આ રીતે થઈ રહી છે લૂંટ

શિક્ષણ સમિતિ શાળાઓ અને આરોગ્ય સાથે ચેડાં ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 57 જેટલી શાળાઓ છે. 57 શાળાઓ પૈકી 48 બિલ્ડીંગ છે. આ 48 બિલ્ડિંગમાં 57 શાળાઓ ચાલી રહી છે. દરેક શાળાઓમાં પાણીની પ્રાથમિક સુવિધા હોવી જરૂરી છે. પરંતુ જ્યારે ચકાસણી કરી તો પીવાના પાણીને લઈને જે પરિસ્થિતિ સામે આવી તે સ્પષ્ટ કરે તેવી હતી કે કોરોના જેવી મહામારી વચ્ચે શાળાઓમાં ક્યાંક પાણીના કુલરો તો છે પરંતુ વોટર પ્યુરીફાઈ (Water Problem in Bhavnagar Corporation Schools )નથી. જેને પગલે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળવાપાત્ર (Impurity of drinking water ) થતું નથી.

આ પણ વાંચો નિરાધાર બાળકોના ભણવા માટેનું એક કેન્દ્ર એટલે 'ભાઈબંધની નિશાળ', શું છે વિશેષતા જાણો

શિક્ષણ સમિતિએ સ્વીકાર્યું 12 શાળામાં અશુદ્ધ પાણી મહાનગરપાલિકાની શાળાઓમાં મોટાભાગની શાળાઓમાં ક્યાંય વોટર પ્યુરીફાઈ ન હોવાને કારણે પાણીના બનાવેલા ટાંકામાંથી સીધું જ પાણી વિદ્યાર્થીઓ પી રહ્યા (Impurity of drinking water ) છે. એટલે કે ક્યાંક આરોગ્ય સાથે ચેડાં (Water Problem in Bhavnagar Corporation Schools )જરૂર કહી શકાય. ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી (Education Committee Chairman Shishir Trivedi) એ જણાવ્યું હતું કે અમારા 48 બિલ્ડીંગ પૈકીના જે 12 શાળાઓ આવેલી છે તેમાં પાણીની સમસ્યા છે. એક વોટર પ્યુરીફાઈ નથી તો ક્યાંક રીપેરીંગ માગી રહ્યા છે જેને લઈને અમે આદેશો કર્યા છે અને ટુક સમયમાં સમસ્યાઓ હલ કરવામાં આવશે.

ઢગલો વિદ્યાર્થીઓ વચ્ચે નાનકડું વોટર પ્યોરીફાઈ મહાનગરપાલિકાની શાળાઓમાંની અક્ષર પાર્કમાં આવેલી શાળાની વાત કરવામાં આવે તો ત્યાં બે પાળીમાં શાળાઓ ચાલી રહી છે. આશરે મોટી સંખ્યામાં 500થી વધારે વિદ્યાર્થીઓ હોય ત્યાં એકમાત્ર વોટર પ્યુરીફાઈ છે તે પણ દાતાએ આપેલું છે. પરંતુ તેમાં પાણી શુદ્ધ થાય છે કે કેમ તેની ખાતરી કરવી મુશ્કેલ હતી. પરંતુ વોટર પ્યુરીફાઈની બાજુમાં મુકેલા સીધા જ નળ (Water Problem in Bhavnagar Corporation Schools )ક્યાંક નિર્દેશ કરતા હતા કે પાણીના ટાંકામાંથી આવતું નળનું પાણી વિદ્યાર્થીઓ સીધું પી રહ્યા છે.

શિક્ષણ સમિતિની પાણી આપવામાં પણ બેદરકારી શાળાના આચાર્ય એમ એ કાઝીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને એક વોટર પ્યુરીફાય છે પણ છતાં ઘટ પડે છે એટલે એક વધુ વોટર પ્યુરીફાઈ માટે માંગ કરાયેલી છે. પરબની આસપાસ ગંદકી (Impurity of drinking water ) અને સફાઈનો અભાવ જોવા મળતો હતો. તેવી રીતે અન્ય કુંભારવાડા,રાણીકા, વિધાનગરની 80 નમ્બરની શાળા જેમાં શુદ્ધ પાણીની સમસ્યાઓ (Water Problem in Bhavnagar Corporation Schools )યથાવત છે. મતલબ કે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિની પાણી આપવામાં પણ બેદરકારી સ્પષ્ટ કરે છે કે વિદ્યાર્થીઓની કોઈને ચિંતા નથી.

Last Updated :Dec 31, 2022, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.