ETV Bharat / state

Union Budget 2023 : ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટ ગોળ જેવું ગળ્યું લાગ્યું

author img

By

Published : Feb 2, 2023, 10:42 AM IST

ગઈકાલે કેન્દ્ર સરકારના રજૂ થયેલા નાણાપ્રધાનના બજેટને લઈને મધ્યમ વર્ગને રાહત મળી હોવાની ચર્ચા જોર પકડ્યુ છે. તેની વચ્ચે ભાવનગરના ખાનગી ક્ષેત્રના નોકરીયાત સાથે ETV BHARAT એ ચર્ચા કરી હતી. દરેક ખાનગી ક્ષેત્રના નોકરિયાત વર્ગ દ્વારા પોતાના મત રજૂ કર્યા હતા. (Union Budget 2023)

Union Budget 2023 : ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટ ગોળ જેવું ગળ્યું લાગ્યું
Union Budget 2023 : ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટ ગોળ જેવું ગળ્યું લાગ્યું

ભાવનગરના નોકરીયાત વર્ગને બજેટને લઈને શું કહ્યું જૂઓ

ભાવનગર : નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભા ચૂંટણી પહેલા પોતાની સરકારનું અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં લોકોને નવી રોજગારી કંઈક ઓછા પગાર સાથે મળી હોવાની ચર્ચાઓ હતી, ત્યારે 2023ના બજેટમાં મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને જાહેર કરવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ છે. ETV BHARAT એ ભાવનગરમાં ખાનગી ક્ષેત્રે નોકરી કરતા નોકરીયાત સાથે ચર્ચા કરી હતી. જોકે સ્થાનિક ભાવનગરના ક્ષેત્રના નોકરિયાતો દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે અને પોતાની દ્રષ્ટિએ તેના ફાયદાઓ દર્શાવ્યા છે.

બજેટના મુખ્ય પાસા મધ્યમ વર્ગના નજરે : કેન્દ્ર સરકારના બજેટને લઈને યુવાનોમાં આનંદ છે. યુવાનોના આનંદ પાછળનું કારણ જે સ્ટાર્ટ અપને મહત્વ આપવામાં આવ્યું છે તેને માનવામાં આવે છે. યુવાનો બજેટ આવકારી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોને આપેલી યોજનાઓને લઈને પણ યુવાન રોજગારી તેમજ મોંઘવારીના મુદ્દે આશા સેવી છે. ખેડૂત મજબૂત થશે, તો દેશમાં દરેક ક્ષેત્ર મજબૂત થાય તેમ માને છે. તેવું નોકરીયાત વર્ગ માની રહ્યા છે.

આ પણ વાંચો : Budget 2023 : લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ખાસ ફંડિગ, હીરા ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું

પરિસ્થિતિ સુધરશે તેવી અપેક્ષા : નોકરીયાત વર્ગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરશે તેવી અપેક્ષા છે. જોકે મધ્યમ વર્ગ સૌથી વધારે ખુશ એટલા માટે છે કે પાંચ લાખની ક્ષમતા વધારીને સાત લાખની ઇન્કમટેક્સમાં કરવામાં આવી છે. જેને કારણે મધ્યમ વર્ગને ઘણો એવો ફાયદો થવાનો છે. સમગ્ર બજેટમાં શું શું છે તે હજુ સુધી નોકરિયાત વર્ગના સામે આવ્યું હતું, મોદી સરકાર આગામી દિવસોમાં બજેટને કારણે મધ્યમ વર્ગને સધ્ધર કરશે તેવું માની રહ્યા છે.

આ પણ વાંચો : PM Modi on Budget 2023: આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપશે, દરેકના સપના પૂરા કરશે

નાના ઉદ્યોગનો ફાયદો : આ ઉપરાંત અમદાવાદના સોલાર એસોસિએશન જનરલ સેક્રેટરી સચિન શાહ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું આ બજેટ ખૂબ જ સારું બજેટ છે. વેપારી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા. તે સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા છે તેવું પણ લાગી રહ્યું છે. જેથી એક વેપારી વર્ગ માટે સારું બજેટ કહી શકાય છે. નાના ઉદ્યોગો માટે કનેક્શન ચાર્જ જે 50 લાખથી વધારીને 75 લાખ અને 2 કરોડથી વધારીને 3 કરોડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.