ETV Bharat / state

sparsh Cancer Care: ભાવનગરમાં કેન્સરની સર્જરી કરેલા દર્દી માટે દરેક થેરાપી NRIના સહયોગ ફ્રી

author img

By

Published : Mar 19, 2022, 8:03 PM IST

ભાવનગર શહેરમાં કેન્સર દર્દીઓ માટે રાહતના (sparsh Cancer Care) સમાચાર છે. સર્જરી કર્યા બાદ શરીરમાં આવેલી નબળાઈ દૂર કરવા અને IMMUNITY વધારવા થેરાપીની જરૂર પડે છે. આ થેરાપીમાં આર્થિક(Physiotherapy for cancer patients) ભીંસ પણ કેન્સર દર્દીઓને ભોગવવી પડે છે. તેવામાં NRI લોકોના સહયોગથી થેરાપીઓ અને રોજનો આહાર આપવાની સારી શરૂઆત કરી છે.

sparsh Cancer Care: ભાવનગરમાં કેન્સર સર્જરી કરેલા દર્દી માટે દરેક થેરાપી NRIના સહયોગ ફ્રી
sparsh Cancer Care: ભાવનગરમાં કેન્સર સર્જરી કરેલા દર્દી માટે દરેક થેરાપી NRIના સહયોગ ફ્રી

ભાવનગરઃ સમાજમાં દિવસે દિવસે વધતા જતા કેસરના રોગની સામે દર્દીઓ દ્વારા ઉપચાર પદ્ધતિ સસ્તી શોધવાના પ્રયાસો થતા હોય છે. NRI વ્યક્તિઓના સહયોગથી(Collaboration of NRI)ભાવનગરમાં સર્જરી થયા બાદના દર્દીઓની(Cancer patient) કાળજી લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્પર્શ કેન્સર કેર (sparsh Cancer Care)દર્દીઓને અલગ થેરાપીઓ અને આહાર કોઈ પણ ખર્ચ લીધા વગર આપી રહ્યા છે.

ભાવનગરમાં કેન્સરની સર્જરી

કેન્સર દર્દીઓને ખુશ કરવાના પ્રયાસ હેતુ - ભાવનગર શહેરમાં મહિલા કોલેજ સર્કલમાં કેન્સર દર્દીઓ માટે કોઈ પણ ખર્ચ વગર થેરાપી આપવાનું અને આહાર આપીને તેમને ખુશ રાખવા હેતુથી કેન્સર કેર ઉભું કરવામાં આવ્યું છે. આ કેન્સર કેરના CRO વર્ષાબહેન જાનીએ જણાવ્યું હતું કે આ કેન્સર કેરમાં આશરે 30 જેટલા દર્દીઓ આવે છે તેમને ખુશ કરવાના અમારા પ્રયાસો છે. ફિઝિયોથેરાપી(Physiotherapy), ઓક્યુપ્રેશનલ થેરાપી(Occupational therapy), મનોચિકિત્સક થેરાપી, યોગ થેરાપી, રેકી એન્ડ મેડિટેશન થેરાપી અને મનકી બાત હેઠળ શેરિંગ ઇઝ કેરિંગ પણ શીખવવામાં આવે છે. આ સાથે સોમથી શનિ અલગ અલગ જ્યુસ આપી તેમના આહારની કાળજી રાખવાના આવે છે.

આ પણ વાંચોઃ Mayo Mayo disease: માયો માયોથી પીડિત બે બાળકોની સયાજી હોસ્પિટલમાં કરાઈ જટિલ સર્જરી

NRIનો સહયોગ અને બહાર કેટલી મોંઘી આ થેરાપી - ભાવનગર શહેરમાં આમ તો લાંબા સમય બાદ સર ટી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. કેન્સર દર્દીઓને આમ તો સર્જરી બાદ સ્નાયુઓ અને અશક્તિનો સામનો કરવો પડે છે. મોટો ફાયફો એ છે કે સ્પર્શ કેન્સર કેર શરૂ કરવા પાછળ NRI વ્યક્તિઓ ભાગ ભજવી રહ્યા છે. NRI લોકોના સહયોગથી થેરાપીઓ ફ્રીમાં મળી રહી છે તો આહાર પણ ફ્રીમાં મળી રહ્યો છે. ફિઝિયોથેરાપીસ્ટ ડો શ્રેયા ત્રિવેદીએ જણાવ્યું હતું કે સર્જરી બાદ કેન્સર દર્દીઓને સ્નાયુ નબળા પડે છે શરીરમાં અશક્તિઓ આવે છે. બહાર સર્જરી બાદ ફિઝિયોથેરાપીના માત્ર રોજના 500 જેવો ચાર્જ થાય છે. ત્યારે આ થેરાપી ફ્રીમાં થાય છે જે દર્દીઓ માટે ખૂબ સરસ છે.

આ પણ વાંચોઃ Medical Miracle At SSG Hospital : સરકારી હોસ્પિટલમાં મળી સાચી સારવાર અને બાળકને મળ્યું નવજીવન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.