ETV Bharat / state

ભાવનગરમાં ભારત જોડો યાત્રાના સમર્થમાં લાગ્યા બેનેરો, શક્તિ પ્રદર્શન બાદ જાહેરસભા

author img

By

Published : Oct 29, 2022, 9:57 AM IST

સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના ત્રિપાંખિયા જંગ લઈને માહોલ જામ્યો છે, ત્યારે ભાવનગરના કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 30 તારીખે શક્તિ પ્રદર્શન (Parivartan yatra in Bhavnagar) યોજવા જઈ રહ્યા છે. પદયાત્રા યોજવામાં આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશની પરિવર્તન યાત્રાનું આગમન થવાનું છે. શુ છે કાર્યક્રમો જાણો. (Shaktisinh Gohil shakti pradarshan padyatra)

ભાવનગરમાં ભારત જોડો યાત્રાના સમર્થમાં લાગ્યા બેનેરો, શક્તિ પ્રદર્શન બાદ જાહેરસભા
ભાવનગરમાં ભારત જોડો યાત્રાના સમર્થમાં લાગ્યા બેનેરો, શક્તિ પ્રદર્શન બાદ જાહેરસભા

ભાવનગર શહેરમાં ચૂંટણી જાહેર થવાના ભણકારા વચ્ચે ભાજપ જોર લગાવી રહ્યું છે અને આમ આદમી પાર્ટી બળ કરી રહી છે. તેવામાં સૌથી જૂની કોંગ્રેસ ચૂપચાપ લોકોના મન અને હૃદય સુધી પહોચવાના (Parivartan yatra in Bhavnagar) પ્રત્યનમાં છે. ભાવનગર કોંગ્રેસના શક્તિસિંહ ભારત જોડો યાત્રાના સમર્થમાં પદયાત્રા યોજવા જઈ રહ્યા છે. તો પ્રદેશ કોંગ્રેસ પણ યાત્રાનું આયોજન કરતા ભાવનગરમાં બેનરો લાગ્યા છે અને ચૂંટણીનો માહોલ જામ્યો છે.(Congress yatra program in Bhavnagar)

શક્તિસિંહનું પદયાત્રાથી શક્તિ પ્રદર્શન બાદ જાહેરસભા

શક્તિસિંહની પદયાત્રા તેમના ગઢમાં ક્યાં સુધી ભાવનગર શહેરમાંથી આગામી દિવસોમાં કોંગ્રેસના પશ્ચિમ વિધાનસભા બેઠકના એક સમયના ધારાસભ્ય રહેલા અને હાલમાં રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રાના સમર્થનમાં પદયાત્રા કરવા જઈ રહ્યા છે. 30 તારીખે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરમાં કોંગ્રેસ તૈયારીઓમાં લાગી ગઈ છે. (Shaktisinh Gohil shakti pradarshan padyatra)

જાહેરસભાનું આયોજન મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં ચાર ઝોનમાં પરિવર્તન યાત્રા પ્રદેશ સમિતિ દ્વારા જુદા જુદા સ્થળોએ કાઢવામાં આવશે. 1 તારીખે ભાવનગર પરિવર્તન યાત્રા આવવાની છે. એક જાહેરસભાનું પણ કુંભારવાડામાં આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રવક્તા અને શક્તિસિંહ ગોહિલ 30 તારીખના રોજ જશોનાથ સર્કલથી બે કલાકે રાહુલ ગાંધીએ જેમ ભારત જોડો યાત્રા કાઢી છે. તેમ પગપાળા ચાલીને ખોડિયાર મંદિર સુધી માતાજીના સાનિધ્યમાં જવાના છે. દેશમાં હાલ જે લોકોની હાલત થઈ છે. ગરીબી અને ડોલર સામે રૂપિયો તૂટી ગયો છે. તેવામાં લોકો પરેશાન છે. અનેક સંસ્થાઓ ઠેર ઠેર સ્વાગત કરવાના છે. (Congress padyatra in Bhavnagar)

ભાવનગરમાં કોંગ્રેસનો યાત્રા કાર્યક્રમ
ભાવનગરમાં કોંગ્રેસનો યાત્રા કાર્યક્રમ

પદયાત્રાની મંદિર સુધી શું તૈયારી ભાવનગર શહેરમાં શક્તિસિંહ ગોહિલની પદયાત્રા 30 તારીખના રોજ બપોરે 2 કલાકે જશોનાથ સર્કલથી ખોડિયાર મંદિર સુધી નીકળવાની છે. 22 કિલોમીટરના રૂટ પર કમાન્ડો અને થાંભલાઓ નાખીને બેનરો લગાવવામાં આવ્યા છે. પદયાત્રા 22 કિલોમીટરની છે અને ઠેર ઠેર સ્વાગતની તૈયારીઓ આદરી દેવામાં આવી છે. સ્વાગત મંડપ નાખવામાં આવ્યા છે. (Bhavnagar Shaktisinh Gohil Congress)

પદયાત્રા બાદ પરિવર્તન યાત્રા અને જાહેર સભા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ 1 તારીખે પ્રદેશની પરિવર્તન યાત્રા ભાવનગર આવી પહોચવાની છે. પરિવર્તન યાત્રામાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, અમરીશ ડેર સહિતના નેતાઓ જોડાવાના છે. આ બાદ કુંભારવાડામાં એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમરીશ ડેર અને પરેશ ધાનાણી પ્રેસવાર્તા 29 તારીખે કરવાના છે. જો કે શક્તિસિંહનું પદયાત્રા પ્રદર્શન રાજકીય ગરમાવો જરૂર લાવ્યો છે.(Bhavnagar Congress Parivartan yatra)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.