ETV Bharat / state

સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધનો સંદેશ આપતી અનોખી કંકોત્રી

author img

By

Published : Nov 20, 2019, 6:46 PM IST

ભાવનગર: જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામના રહેવાસી જાની પરિવારે કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને સ્વચ્છતા સંદેશને પોતાની દીકરીની લગ્ન કંકોત્રીમાં સ્થાન આપી એક અનોખા અભિગમની પહેલ કરી છે. વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી અતિ પ્રભાવિત આ પરિવારે તેમની યોજનાઓ અને ખાસ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની સાથે સાથે બેટી બચાઓ-બેટી પઢાઓની કંકોત્રી મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પણ મોકલી આપી હતી. જેમાં મુખ્યપ્રધાન દ્વારા તેમના પરિવારને આ પ્રસંગની શુભકામના પાઠવતો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક પ્રતિબંધ ના સંદેશ સાથે ની લગ્ન કંકોત્રી

મહુવાના મોણપર ગામે રહેતા જાની પરિવારમાં આગામી ડિસેમ્બર માસમાં દીકરીના લગ્ન અને યજ્ઞોપવીત નો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ માટે મહેમાનોને આમંત્રિત કરવા જે આમંત્રણ પત્રિકા એટલે કે, કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. જે કઈક અલગ તૈયાર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ગાંધી 150 અંતર્ગત જે સ્વચ્છતા મિશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની મુહિમ ને દેશભરમાં વધુ વેગ આપવા આ કંકોત્રી પણ એક હિસ્સો બની છે. જાની પરિવારમાં લગ્નની કંકોત્રી માં કેન્દ્ર સરકારની યોજનો જેમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના, બેટી બચાઓ-બેટી પઢાઓ ને પણ સ્થાન આપી એક અનોખા અભિગમ સાથેની આ કંકોત્રી સગા વહાલાઓને મોકલવામાં આવી રહી છે.

પ્લાસ્ટિક પ્રતિબંધ ના સંદેશ સાથે ની લગ્ન કંકોત્રી

આ કંકોત્રી ભાવનગરના દીર્ઘદ્રષ્ટા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના ચરણોમાં પણ ધરવામાં આવી છે અને ભાવનગર કલેકટર, કમિશ્નર, ડીડીઓ સહિતના અધિકારીઓને પણ મોકલવામાં આવ્યું છે અને તેમના દ્વારા પણ આ કંકોત્રી ની સરાહના કરવામાં આવી છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : એવીબી

ભાવનગરના મહુવા તાલુકાના મોણપર ગામે રહેતા જાની પરિવારે કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને સ્વચ્છતા સંદેશને પોતાની દીકરીની લગ્ન કંકોતરીમાં સ્થાન આપી એક અનોખા અભિગમની પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી અતિ પ્રભાવિત આ પરિવારે તેમની યોજનાઓ અને ખાસ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ની સાથે સાથે બેટી બચાઓ-બેટી પઢાઓની કંકોતરી મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને પણ મોકલવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી દ્વારા તેમના પરિવારને આ પ્રસંગની શુભકામના પણ પાઠવતો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.Body:મહુવાના મોણપર ગામે રહેતા જાની પરિવારમાં આગામી ડીસેમ્બર માસમાં દીકરીના લગ્ન અને યજ્ઞોપવીત નો પ્રસંગ યોજાનાર છે.આ પ્રસંગ માટે મહેમાનોને આમંત્રિત કરવા જે આમંત્રણ પત્રિકા એટલેકે કંકોતરી તૈયાર કરવામાં આવી છે તે કઈક અલગ તૈયાર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ગાંધી ૧૫૦ અંતર્ગત જે સ્વચ્છતા મિશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની મુહિમ ને દેશભરમાં વધુ વેગ આપવા આ કંકોતરી પણ એક હિસ્સો બની છે. જાની પરિવારની લાડલી ના લગ્નની કંકોતરી માં કેન્દ્ર સરકારની યોજનો જેમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના-બેટી બચાઓ-બેટી પઢાઓ ને પણ સ્થાન આપી એક અનોખા અભિગમ સાથે ની આ કંકોતરી સગા વહાલાઓને મોકલવામાં આવી રહી છે. આ કંકોતરી ભાવનગરના દીર્ઘદ્રષ્ટા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં પણ ધરવામાં આવી છે જયારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પણ આ કંકોતરી મોકવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી દ્વારા આ પરિવારને લગ્ન પ્રસંગની શુભકામના પણ પાઠવતો પત્ર પણ મોકલવામાં આવ્યો છે.Conclusion:આ કંકોત્રી થકી લગ્નનું આમંત્રણ ભાવનગર કલેકટર-કમિશનર-ડીડીઓ સહિતના અધિકારીઓ ને પણ મોકલવામાં આવ્યું છે અને તેમના દ્વારા પણ આ કંકોત્રી ની સરાહના કરવામાં આવી છે.

બાઈટ: કિરણભાઈ જાની-ભાઈ-મોણપર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.