ETV Bharat / state

પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

author img

By

Published : Jan 1, 2023, 4:30 PM IST

અંકલેશ્વર તાલુકા ના સારંગપુર ગામ પાસે પત્ની એ પ્રેમી સાથે મળી(Sessions court sentences life imprisonmen) પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને અંકલેશ્વ ની સેસન્સ કોર્ટ આજીવન કેદ ની સજા ફટકારી હતી.ગત 22 મી જાન્યુઆરી 2016 ના રોજ પતિ ની બાઈક સ્લીપ થઇ જતા અકસ્માતમાં મોત થયું હોવાનું બતાવ્યું હતું .જો કે મૃતક ના પરિવાજનો ની શંકા ના આધારે ઘર માં લોહી ના ધબ્બા તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં હત્યા નો ખુલાસો થયો હતો. સેશન્સ કોર્ટે સાંયોગિક (wife and lover who killed husband) પુરાવા ના બંન્ને ને આજીવન કેદની સજા ફટકારી હતી.

પ્રેમી સાથે મળી પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા
પ્રેમી સાથે મળી પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

અંકલેશ્વર: ગત 22 મી જાન્યુઆરી ના 2016 ના રોજ સારંગપુર ગામ ખાતે રહેતા અને મૂળ(Sessions court sentences life imprisonmen) પંચમહાલ જિલ્લાના છાયણા ગામના મહેન્દ્રભાઈ રુમાલભાઈ બારીયા ની પદ્માવતી નગર નજીક બાઈક સ્લીપ થતા મોત નીપજ્યું હોવાની ફરિયાદ મૃતકના ભાઈ રમણભાઈ એ નોંધાવી હતી. જો કે સગા સંબંધીઓ ને ઘરમાં દીવાલ અને રસોડા માં લોહી ના ડાઘ જોવા મળ્યા હતા. પોસ્ટ મોર્ટમ ના રિપોર્ટ માં પણ મૃતક મહેન્દ્રભાઈનું મોત અકસ્માતથી નહિ પણ હત્યાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જે આધારે જીઆઇડીસી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક મહેન્દ્ર બારીયાની પત્ની ધર્મિષ્ઠાબેન ને છાયણાગામના જ ભલાભાઇ બારીયા સાથે પ્રેમ સંબંધ હતો.

વતન પણ પહોંચ્યો ન હતો: આ વાતની જાણ ગામમાં થઈ જતા પંચાયત બોલવી આ બાબતે ચેતવણી (wife and lover who killed husband )આપી હતી જે બાદ મૃતક મહેન્દ્રભાઈ તેની પત્ની ધર્મિષ્ઠા સાથે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે રહેવા આવ્યા હતા અને ભલા બારીયાની તપાસ કરતા તે મોરબી થી વતન જવાનું કહી 20 જાન્યુઆરી ના રોજ નીકળ્યા હતા પણ વતન પણ પહોંચ્યો ન હતો. જે આધારે શંકા પ્રબળ બનતા જીઆઇડીસી પોલીસે ધર્મિષ્ઠા અને તેના પ્રેમી ભલા બારીયાની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ માં બંન્ને એ ભેગા મળીને પતિ મહેન્દ્ર ની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચોઃ વડનગર ખાતે હીરા બા માટે પ્રાર્થના સભા યોજાઈ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

આજીવન કેદ ની સજા: આ કેસ અંકલેશ્વર ની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એન.વી. ગોહિલ દ્વારા 55 દસ્તાવેજી પુરાવા અને 14 સાહેદો ની તપાસ કરી ધારદાર દલીલ કરી હતી જે દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ ડી.વી. શાહ સાહેબે સાંયોગિક પુરાવા ધ્યાને લઇ મૃતક મહેન્દ્ર બારીયાની પત્ની ધર્મિષ્ઠા બારીયા અને તેના પ્રેમી ભલા બારીયા ને કસૂરવાર ઠેરવી આજીવન કેદ ની સજા અને દંડ ફટકાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.