ETV Bharat / state

ભરૂચમાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઇ

author img

By

Published : May 29, 2020, 7:54 PM IST

ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે પાંચેય દર્દીઓને ઘરે રવાના કર્યા હતા.

5 more patients infected with corona virus were discharged
ભરૂચમાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઇ

ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે પાંચેય દર્દીઓને ઘરે રવાના કર્યા હતા.

ભરૂચમાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઇ

જિલ્લામાં 10 દિવસ બાદ કોરોના વાયરસનો શુક્રવારે એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓ સ્વસ્થ થતા શુક્રવારે તેઓને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે આ પાંચેય દર્દીને ઘરે રવાના કર્યા હતા.

સ્વસ્થ થયેલા દર્દીઓના નામ આ પ્રમાણે છે.

1 ઇરાન ચૌધરી- હેપ્પીનગર, અંકલેશ્વર

2 સાહિદખાતુન ચૌધરી- હેપ્પીનગર, અંકલેશ્વર

3 સોનાલી પાટીલ- કુમકુમ બંગલોઝ, અંકલેશ્વર

4 વૈજનાથ ઝા- રંગઉપવન સોસાયટી, ભરૂચ

5 રાજેશ રાજપૂત- મકતમપુર

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના વાઇરસના કુલ 38 પોઝિટિવ કેસ પૈકી 3 દર્દીના મોત નીપજ્યાં છે, જ્યારે 34 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે. શુક્રવારે નોધાયેલો એક દર્દી જ હવે સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.