ETV Bharat / state

મેઘ તાંડવઃ ભરૂચમાં સતત ચોથા દિવસે પણ પુરની પરિસ્થિતિ યથાવત

author img

By

Published : Sep 12, 2019, 2:19 PM IST

bharuch

ભરૂચઃ સતત ચોથા દિવસે પણ પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર 31 સુધી પહોંચતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા 5 દિવસથી 6થી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી છોડાતા પાણીના કારણે ભરૂચ નજીક પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 7 ફૂટ ઉપર 31 ફૂટે વહી રહી છે જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા છે.

મેઘ તાંડવઃ ભરૂચમાં સતત ચોથા દિવસે પણ પુરની પરિસ્થિતિ યથાવત

આજે સતત ચોથા દિવસે પણ ભરૂચના ફુરજા, દાંડિયા બજાર, બામણી યા ઓવારા,ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી તો અંકલેશ્વરના સરફૂદીન, ખલાપીયા, જુના બોરભાઠા, દીવા અને ઝઘડિયાના જુના પોરા, તરસાલી અને જૂના જરસાડ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં હતાં. જે પરિસ્થિતિને લઇને તંત્રએ ભરૂચ જિલ્લામાંથી અત્યાર સુધી 3814 લોકોનું સ્થળાંતર કર્યુ છે.

જિલ્લામાં એન.ડી.આર.એફની 2 અને એસ.ડી.આર.એફની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આજે ગણેશ વિસર્જન છે, ત્યારે તંત્ર ખાસ આયોજનમાં હાજર રહ્યું છે અને લોકોને નદી કાંઠે ન જવા સૂચના પણ આપવામાં આવી છે.

Intro:ભરૂચમાં સતત ચોથા દિવસે પણ પુરની પરિસ્થિતિ જોવા મળી રહી છે.નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટીથી 7 ફૂટ ઉપર 31 વહેતા નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા


Body:નર્મદા ડેમમાંથી છોડતા પાણીના કારણે ભરૂચ નજીક પુરની પરિસ્થિતિ સર્જાઈ છે


Conclusion:ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છેલ્લા 5 દિવસથી 6 થી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમા પુર આવ્યું છે.ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટી થી 7 ફૂટ ઉપર 31 ફૂટે વહી રહી છે જેના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘુસી ગયા છે
આજે ચોથા દિવસે પણ ભરૂચના ફુરજા,દાંડિયા બજાર, બામણી યા ઓવારા,ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી તો અંકલેશ્વરના સરફૂદીન,ખલાપીયા,જુના બોરભાઠા, દીવા અને ઝઘડિયાના જુના પોરા,તરસાલી અને જૂના જરસાડ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં હતા.તંત્ર દ્વારા ભરૂચ જિલ્લા માંથી અત્યાર સુધી 3814 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં એન.ડી.આર.એફની 2 અને એસ.ડી.આર.એફની 1 ટિમ તૈનાત કરવામાં આવી છે.આજે ગણેશ વિસર્જન છે ત્યારે તંત્ર ખાસ આયોજનમાં જોતરાયું છે અને લોકોને નદી કાંઠે ન જવા સૂચના પણ આપવામાં આવી છે

વોક થ્રુ

નોંધ- હિન્દી અને ગુજરાતી વોક થ્રુ બન્ને ઉતાર્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.