'ના ઉમ્ર કી સીમા હો.. ના જન્મો કા હો બંધન', અંકલેશ્વરના 68 વર્ષના વડીલે...

author img

By

Published : Dec 21, 2020, 12:21 PM IST

Updated : Dec 21, 2020, 3:55 PM IST

Surat
Surat ()

અંકલેશ્વરના 68 વર્ષના દુલ્હા અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા છે. આ નવદંપતીના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું હતું અને એટલે જ આ દંપતીએ રવિવારે સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મીની રિસેપ્શન રંગારંગ સમારોહનું આયોજન કર્યું હતું.

  • વૃદ્ધ દુલ્હા દુલ્હન જોડયા લગ્નગ્રંથિથી
  • અંકલેશ્વરના 68 વર્ષના દુલ્હા અને મુંબઈની 65 વર્ષની દુલ્હને કર્યા અમદાવાદમાં કર્યા લગ્ન
  • લગ્ન બાદ મીની રિસેપ્શનનું કરાયું આયોજન


    અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના 65 વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા છે. હરીશભાઇ પટેલના પત્નીનું હાલમાં જ મે માસમાં કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું. ત્યારબાદ તેઓ એકલા વાયા જીવનથી કંટાળી ગયા હતા. સામે પક્ષે જોષના બેનને ત્રણ સંતાન છે. તેમના પતિનું આશરે 10 વર્ષ પહેલા કેન્સરની બીમારીને પગલે નિધન થયું હતું. તેમના બે દિકરા અને દુબઈમાં સ્થાયી થયા છે. જ્યારે મોટી દીકરી મુંબઈમાં છે. જોકે જૂથના બેન એકલા રહેતા હોય હાલમાં કોરોના દરમિયાન એકલવાયા જીવનનો અહેસાસ કરી ચિંતાતુર થઇ ગયા હતા.
    અંકલેશ્વરના 68 વર્ષના દુલ્હા અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા


    હરીશભાઈએ વડોદરામાં ફ્લેટ લઈને ત્યાં જ રહેવાની તૈયારી પણ દર્શાવી

    હરીશભાઇ અને જ્યોત્સના બહેને પોતાની સ્થિતિને જોતા જીવનસાથી રૂપે યોગ્ય પાત્રની પસંદગી માટે તૈયાર થયા હતા ત્યારબાદ તેઓ વડીલોના લગ્ન માટે સક્રિય એવી સામાજીક સંસ્થાના સંપર્કમાં આવ્યા હતા ગત ૪ નવેમ્બરના રોજ સુરતમાં ઉમિયા ધામમાં તેઓની પહેલી મીટીંગ યોજી હતી. પહેલી બેઠકમાં જ બંને વચ્ચે મનમેળ થયા બાદ ગત રવિવારે અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. એટલું જ નહીં જોસના બેન ને લગ્ન બાદ અંકલેશ્વરમાં સ્થાયી થવાનું મુશ્કેલ હોવાની વાત કરતા હરીશભાઈ એ વડોદરામાં ફ્લેટ લઈને ત્યાં જ રહેવાની તૈયારી પણ દર્શાવી દીધી છે..

    મીની રિસેપ્શનનું આયોજન

    આ યુગલનો મનમેળ સુરતમાં થયો હોય રવિવારે સુરતમાં જ ડભોલી ગામના ફાર્મ હાઉસમાં તેઓએ સત્કાર સમારોહ એટલે કે મીની રિસેપ્શનનું આયોજન કર્યું હતું. રવિવારે લગ્ન બાદ હરીશભાઇ અને જોષનાબેને હનીમૂન ના ભાગરૂપે સાત દિવસનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. જેમાં ત્રણ દિવસ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ હાઉસમાં, બે દિવસ પોઈયા અને પછી બે દિવસ સાપુતારામાં રહ્યા હતા. એટલું જ નહીં હરીશભાઈએ તો લગ્ન પછી આખી દુનિયા ફરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દેશ વિદેશનો પ્રવાસ થઈ શકે એ માટે પણ તૈયારી દર્શાવી છે.

Last Updated :Dec 21, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.